પાકિસ્તાનના કરાચીમાં રણવીર સિંહ અને અક્ષય ખન્ના વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરતી અરજી કોર્ટમાં કરાઈ
નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ “ધુરંધર” સામે કરાચી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના ફોટોગ્રાફ્સ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના ધ્વજ અને પાર્ટી રેલીઓના ફૂટેજનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે PPPને આતંકવાદી પાર્ટી તરીકે દર્શાવવામાં આવી છે. આ અરજી PPP કાર્યકર્તા મોહમ્મદ આમિર દ્વારા કરાચીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (સાઉથ) માં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માંગ કરવામાં આવી છે કે ફિલ્મના દિગ્દર્શક, નિર્માતા, કલાકારો અને ફિલ્મના પ્રમોશન અને નિર્માણમાં સામેલ અન્ય લોકો સામે FIR દાખલ કરવામાં આવે.
અરજીમાં ફિલ્મના મુખ્ય અભિનેતા રણવીર સિંહ, અન્ય કલાકારો સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર માધવન, સારા અર્જુન અને રાકેશ બેની, દિગ્દર્શક આદિત્ય ધર, નિર્માતા લોકેશ ધર અને જ્યોતિ કિશોર દેશપાંડેનું નામ પણ સામેલ છે.


