1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર-સિકંદરાબાદ વચ્ચે 21મી જુલાઈથી દર રવિવારે ખાસ ટ્રેન દોડાવાશે
ભાવનગર-સિકંદરાબાદ વચ્ચે 21મી જુલાઈથી દર રવિવારે ખાસ ટ્રેન દોડાવાશે

ભાવનગર-સિકંદરાબાદ વચ્ચે 21મી જુલાઈથી દર રવિવારે ખાસ ટ્રેન દોડાવાશે

0
Social Share

ભાવનગરઃ શહેરને લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળી રહે તે માટે ઘણા સમયથી રજુઆતો થઈ રહી છે. ત્યારે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ભાવનગર-સિકંદરાબાદ વચ્ચે આગામી 21 જુલાઈથી દર રવિવારે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનના રૂટને લીધે સિકદંરાબાદ, હૈદરાબાદ યાને તેલંગાણા રાજ્યમાં જવા માટે પ્રવાસીઓને લાભ મળશે.

રેલ યાત્રિયોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસથી સિકંદરાબાદ સુધી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ માશૂક અહમદે જણાવ્યું હતું કે ટ્રેન 07062 ભાવનગર-સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર રવિવારે સવારે 10:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે 15:45 કલાકે સિકંદરાબાદ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 21-07-2024, 28-07-2024, 04-08-2024 અને 11-08-2024ના રોજ ચાલશે. એ જ રીતે ટ્રેન નં. 07061 સિકંદરાબાદ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશનથી દર શુક્રવારે રાત્રે 20:00 કલાકે ઉપડશે અને રવિવારે સવારે 05:55 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશનથી 19-07-2024, 26-07-2024, 02-08-2024 અને 09-08-2024ના રોજ ચલાવવામાં આવશે. આ ટ્રેનમાં ફર્સ્ટ કમ સેકન્ડ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચની સુવિધા હશે. આ ટ્રેનના રૂટમાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા જંકશન, નાંદેડ, મુદખેડ જંક્શન, બાસર, નિઝામાબાદ, કામારેડ્ડી અને મેડચલ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનના રૂટને લીધે સિકદંરાબાદ, હૈદરાબાદ યાને તેલંગાણા રાજ્યમાં જવા માટે પ્રવાસીઓને લાભ મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code