1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના માંડલમાં મકાનની દિવાસ ધરાશાયી થતા મહિલાનું મોત, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં
અમદાવાદના માંડલમાં મકાનની દિવાસ ધરાશાયી થતા મહિલાનું મોત, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં

અમદાવાદના માંડલમાં મકાનની દિવાસ ધરાશાયી થતા મહિલાનું મોત, બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. ચોમાસામાં રાજ્યમાં અનેક સ્થળો ઉપર મકાન ધસી પડવાના બનાવો બને છે. દરમિયાન અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં માનપુરા ગામમાં એક મકાનની દિવાલ ઘરાશાયી થવાની ઘટના બની હતી. આ દૂર્ઘટનામાં એક મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માંડલ તાલુકાના માનપુરા ગામમાં કાચા મકાનની દિવાલ તુટી પડી હતી, જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવને પગલે સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. કાટમાળની નીચેથી બે ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. આ ઉપરાંત એક મહિલાનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code