મુંબઈઃ આજે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે.બોલિવૂડના સુપર સ્ટાર અને એક્શન હિરો તરીકે જાણીતા અક્ષય કુમાર તેમનો 56 નો જન્મદિવસ ઉજવી રહ્યા છે, 9 સપ્ટેમ્બર 1967 માં અમૃતસરમાં જન્મેલા રાજીવ ઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમારને આજે કોઈની ઓળખના મોહતાઝ નથી, અક્ષય કુમારને બોલિવૂડનો ખિલાડી તરીકે ઓળખ મેળવી છે.

પોતાના 56માં જન્મદિવસ નિમિત્તે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર પરિવાર સાથે બાબ મહાકાલના આશીર્વાદ લેવા ઉજ્જૈન પહોંચ્યા હતા. આ દરમિયાન ક્રિકેટર શિખર ધવન પણ હાજર રહ્યા હતા. બંન્નેએ ભગવાન મહાકાલના દર્શન કર્યા અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ ‘સૌગંધ’ થી બોલિવૂડમાં એન્ટ્રીકરી હતી,પરંતુ ફિલ્મ ‘ખિલાડી’ થી બોલીવુડમાં તેને સાચી ઓળખ મળી. આ બાદ અક્ષયે ‘ખિલાડિયોં કા ખિલાડી’, ‘ઈન્ટરનેશનલ ખિલાડી’, ‘ખિલાડી 420’, ‘હેરા ફેરી’, ‘અજનબી’, ‘રૂસ્તમ’, ‘બેલબોટમ’, ‘બેબી’, ‘ગુડ ન્યૂઝ’ જેવી ઘણી ફિલ્મો આપી છે.
https://twitter.com/Darsh_Official_/status/1700345982129684939?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1700345982129684939%7Ctwgr%5E3b6e1ba8a54312ac8ad0b515a51d2e4e7d417837%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Fentertainment%2Fbollywood-mission-raniganj-actor-akshay-kumar-visit-ujjain-mahakaleshwar-temple-on-his-birthday-23525614.html

