1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યા: આજે રામલલાના દર્શન કરશે અક્ષય કુમાર, જેક્લીન અને નુસરત પણ સાથે
અયોધ્યા: આજે રામલલાના દર્શન કરશે અક્ષય કુમાર, જેક્લીન અને નુસરત પણ સાથે

અયોધ્યા: આજે રામલલાના દર્શન કરશે અક્ષય કુમાર, જેક્લીન અને નુસરત પણ સાથે

0
Social Share
  • અયોધ્યા જવા રવાના થયા અક્ષય કુમાર
  • જેક્લીન અને નુસરત પણ અક્ષયની સાથે
  • રામલલાના દર્શન બાદ શરૂ કરશે શૂટિંગ

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘રામ સેતુ’ ની મુહૂર્ત પૂજા માટે અયોધ્યા જવા રવાના થયા છે. તેની સાથે જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા પણ છે.આ અંગેની માહિતી તેણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી છે. ત્રણેય કલાકારો પહેલા રામલલાના દર્શન કરશે,ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.

અભિનેતા અક્ષય કુમાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અનુમતિ લીધા બાદ તેમની આગામી ફિલ્મ’રામ સેતુ’નું શૂટિંગ અયોધ્યામાં કરશે.

અક્ષય કુમારે જેક્લીન અને નુસરત સાથે એક ફોટો શેર કર્યો છે,જેમાં તે પ્લેન પાસે બેસીને પોઝ આપી રહ્યા છે. અક્ષયે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક ખાસ ફિલ્મ,એક ખાસ શરૂઆત .. રામ સેતુની ટીમ મૂહર્ત પૂજા માટે અયોધ્યા જવા રવાના થઇ ગઈ છે .. અને અહીંથી સફર શરૂ થાય છે. તમારા બધા પાસેથી સ્પેશિયલ વિશની જરૂર છે.

આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્મા કરશે. તેમની હાલની ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ લોકડાઉન પછી સિનેમાઘરોમાં રિલીઝ થનારી પહેલી બોલિવુડની ફિલ્મ છે. ‘રામ સેતુ’નું નિર્માણ અક્ષયની પ્રોડક્શન હાઉસ કરશે.

-દેવાંશી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code