અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને વિદેશ જવા માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યાઃ આ મામલે 18મેના રોજ સુનાવણી થશે
- જેક્લિને વિદેશ જવા માટે કોર્ટમાં અરજી કરી
- વિદેશ જવાની પરવાનગી માંગતી કરી અરજી
- 18 મેના રોજ સુનાવણી થશે
દિલ્હીઃ- બોલિવૂડ એભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ પર થયેલી કાર્યવાહી બાદ હવે તેણે દેશમાંથી વિદેશ જવા માટે કોર્ટના દરવાજા ખટખટાવવા પડ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ન જેકલીન ફર્નાન્ડિઝે વિદેશ પ્રવાસ પર જવાની પરવાનગી માંગતી દિલ્હીની કોર્ટમાં અરજી કરી છે.
આ સમગ્ર મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જેકલીન ફર્નાન્ડિઝે તરત જ 15 દિવસના વિદેશ પ્રવાસ પર જવાની પરવાનગી માંગી છે. જેક્લિને કોર્ટમાં અરજી કરતા જઆણવ્યું છે કે અબુ ધાબીમાં 2022 આઈફા વિકેન્ડ એવોર્ડ સમારોહમાં હાજરી આપવાની છે. તેમજ કેટલીક ફિલ્મ ઈવેન્ટની પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની હોય છે. આવી સ્થિતિમાં તેમને દેશની બહાર જવા દેવા જોઈએ.ઉલ્લેખનીય છે કે જેક્લિન પર ચાલી રહેલા કેસ ને લઈને તેને દેશ છોડવાની મંજૂરી નથી.
ત્યારે હવે વિદેશ જવું હોવાથઈ દેક્લિને કોર્ટમાં પોતાની અરજીમાં કહ્યું છે કે તેને તાત્કાલિક અબુ ધાબી, નેપાળ અને ફ્રાન્સ જવાની પરવાનગી આપવામાં આવે. બીજી તરફ જેકલીનની અરજી પર 18 મેના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે અબિનેત્રીલ ઉપર દેશના સૌથી મોટા છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી 200 કરોડની વસૂલાતના મામલામાં તપાસ ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેકલીન વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલરજારી કર્યો છે. જેકલીન હવે લુક આઉટ સર્ક્યુલરને બંધ કરવા માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.