1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં અમદાવાદ બાદ હવે વડોદરા અને સુરત એરપોર્ટનું થશે ખાનગીકરણ
ગુજરાતમાં અમદાવાદ બાદ હવે વડોદરા અને સુરત એરપોર્ટનું થશે ખાનગીકરણ

ગુજરાતમાં અમદાવાદ બાદ હવે વડોદરા અને સુરત એરપોર્ટનું થશે ખાનગીકરણ

0
Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હવે આગામી વર્ષોમાં ગુજરાતના અન્ય બે એરપોર્ટ વડોદરા અને સુરતનું પણ ખાનગીકરણ કરવામાં આવે તેવી શકયતા છે. સરકારનું મેનેજમેન્ટ કાચું પડતું હોવાથી કેન્દ્રએ એરપોર્ટની જવાબદારી પ્રાઇવેટ પાર્ટીઓને સોંપવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારીને પગલે દેશના વિવિધ એરપોર્ટને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. સરકાર દ્વારા આગામી વર્ષોમાં 25 જેટલા એરપોર્ટનું તબક્કાવાર ખાનગીકરણ કરવામાં આવ્યું હતું.

સિવિલ એવિયેશન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં 25 એરપોર્ટ ખાનગી હાથમાં જશે. આ એરપોર્ટની પસંદગી વાર્ષિક ટ્રાફિક અને સૂચિત મૂડી ખર્ચ યોજનાના આધારે કરવામાં આવી છે. આ એરપોર્ટમાં ભુવનેશ્વર, વારાણસી, ઈન્દોર, રાયપુર, નાગપુર, પટના, સુરત, રાંચી, ચેન્નાઈ, ભોપાલ અને દેહરાદૂન વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકી અમૃતસર, વારાણસી, ભુવનેશ્વર, ઈન્દોર, રાયપુર અને ત્રિચી એરપોર્ટનું બ્રાઉનફિલ્ડ પીપીપી મોડલ પર મુદ્રીકરણ કરવામાં આવશે. કાલિકટ, કોઈમ્બતુર, નાગપુર, પટના, મદુરાઈ, સુરત, રાંચી અને જોધપુર એરપોર્ટનું નાણાકીય વર્ષ 2022-23માં ખાનગીકરણ કરવામાં આવશે. આ પછી નાણાકીય વર્ષ 2023-24માં ચેન્નાઈ, વિજયવાડા, તિરુપતિ, વડોદરા, ભોપાલ અને હુબલી એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે. છેલ્લે, ઇમ્ફાલ, અગરતલા, ઉદયપુર, દહેરાદૂન અને રાજમુન્દ્રી એરપોર્ટને ખાનગી હાથમાં સોંપવામાં આવશે. કોરોના મહામારીએ ગયા વર્ષે 137 માંથી 133 એરપોર્ટને ભારે નુકસાનમાં ધકેલી દીધા છે. મોટાભાગના એરપોર્ટ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષથી સતત ખોટમાં છે. સરકારના આ નિર્ણયની અસર હવાઈ મુસાફરી કરનારા નાગરીકો પર જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code