1. Home
  2. ગુજરાતી
  3. અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે
અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

0
Social Share
  • આવી ગયું વાયુ સેનામાં અગ્નિવીર ભરતીનું ફોર્મ
  • આજથી agnipathvayu.cdac.in પર કરો અરજી  
  • ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી થશે શરૂ

દિલ્હી:ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ તરીકે જોડાવાની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી યોજના માટે નોંધણી 24મી જૂને સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી શરૂ થશે.જે યુવાનો એરફોર્સમાં જોડાવા ઈચ્છે છે તેઓ અધિકૃત વેબસાઈટ indianairforce.nic.in અથવા agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે.

અગ્નિવીર વાયુ (વાયુસેનામાં ભરતી થતા સૈનિકોને આપવામાં આવેલું નામ) ને એરફોર્સ એક્ટ 1950 હેઠળ ચાર વર્ષ માટે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.અત્રે નોંધનીય બાબત એ છે કે,અગ્નિવીર વાયુ ભારતીય વાયુસેનામાં અન્ય કોઈપણ વર્તમાન રેન્કથી અલગ અલગ રેન્ક હશે. ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુને ચાર વર્ષની સેવાના સમયગાળાથી વધુ રેન્કમાં જાળવી રાખવા માટે બંધાયેલ નથી.જો કે, ચાર વર્ષની સેવા પૂરી થવા પર અગ્નિવીર વાયુને એરફોર્સમાં કાયમી નોકરી માટે અરજી કરવાની તક પૂરી પાડવામાં આવશે.

ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરવું  

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nic.in અથવા agnipathvayu.cdac.in ની મુલાકાત લો.
  • અહીં તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી માટે માન્ય ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
  • ઉમેદવારો ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા નોંધણી કરશે.
  • નોંધણી પછી વપરાશકર્તા નામ અને પાસવર્ડ જનરેટ થશે.
  • આ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા ઓફિશિયલ વેબસાઈટ પર લોગઈન કરવામાં આવશે.
  • અરજી ફોર્મમાં આધારની વિગતો પણ આપવાની રહેશે. આ કિસ્સામાં, ઉમેદવાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.
  • અગ્નિવીર વાયુ માટે અરજી કરનારા જમ્મુ અને કાશ્મીર, આસામ અને મેઘાલયના ઉમેદવારોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • ઓનલાઈન અરજીમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
  • ફોર્મમાં ઉમેદવારે નામ, માતા-પિતાનું નામ, ઉંમર, સરનામું, શૈક્ષણિક લાયકાત જેવી માહિતી ભરવાની રહેશે.
  • એકવાર ફોર્મ ભર્યા પછી, ફી ઓનલાઈન જમા કરવામાં આવશે.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢીને રાખી લો.

29 ડિસેમ્બર 1999 થી 29 જૂન 2005 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.જો ઉમેદવાર પસંદગી પ્રક્રિયાના તમામ તબક્કાઓ પૂર્ણ કરે છે, તો નોંધણીની તારીખે તેની ઉપલી વય મર્યાદા 23 વર્ષ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code