1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ 100 ટકા રસીકરણની સિદ્ધી હાંસલ કરનારી પ્રથમ મહાનગરપાલિકા

અમદાવાદઃ 100 ટકા રસીકરણની સિદ્ધી હાંસલ કરનારી પ્રથમ મહાનગરપાલિકા

0
Social Share

અમદાવાદ: કોરોના મહામારીને ડામવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ગુરૂવારે જનતાને 100 કરોડ ડોઝ આપીને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક ભારતએ હાંસલ કર્યો હતો બીજી તરફ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ મતદાર યાદી અનુસાર સો ટકા રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આમ હેરિટેજ સિટી અમદાવાદના સો ટકા રસીકરણ કરીને કોર્પોરેશનને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શહેરમાં 100 ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરવાની સાથે કોર્પોરેશન દ્વારા આરોગ્ય કર્મચારીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, સો ટકા સિધ્ધિ હાંસલ કરવા માટે કોર્પોરેશન દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમની પાસે મોબાઇલ ફોન કે આધાર કાર્ડ ન હતા તેવા સાધુ-સંતોને તમને ધાર્મિક સ્થળો ઉપર જઈને covid-19ની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં રસીકરણ કેન્દ્રો ઉપર આવવામાં અક્ષમ નાગરિકો તથા દિવ્યાંગ વ્યક્તિઓને રસી આપવા માટે ટાગોર હોલ સહિતના સ્થળો ઉપર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

કરોનાની રસી લેવા તૈયાર ન હતા તેવા સશ્રમજીવીઓ ને પણ સમજવા ની સાથે કોરોનાની રસી લેનારા ઓ માં ખાદ્યતેલના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં લકી ડ્રો મારફતે સ્માર્ટફોન સહિતની સુવિધા પણ આપવામાં આવી હતી. સિનિયર સિટીઝનોને પણ કોરોના વેક્સિન થી સુરક્ષિત કરવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. એટલું જ નહીં કોર્પોરેશનને પોતાની માલિકીની જગ્યા ઉપર નો વેક્સિન નો એન્ટ્રી નો અભિગમ અપનાવામાં આવ્યો હતો.

વર્ષ 2021 એમની અમદાવાદ શહેરની મતદાર યાદી અનુસાર 18 વર્ષથી વધુની ઉંમરના ૪૬. ૨૩ લાખ લોકોને કોરોના રસી આપવાની થતી હતી જેની સામે 46.33 લાખ લોકોને કોરોના ની રસી નો પ્રથમ ડોઝ આપી ને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જ્યારે 24લાખથી વધારે નાગરિકોને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં લગભગ 71 લાખ જેટલા કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જમા ભારત બનેલી કવિશિલ્ડનાં ૬૬ લાખ જેટલા ડોઝનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં લગભગ 40 લાખથી વધુ પુરુષ અને 30 લાખથી વધુ મહિલાઓએ કોરોનાની વેક્સિન લીધી હોવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દાવો કર્યો છે. ઉંમર પ્રમાણે વાત કરીએ તો ૧૮ થી ૪૫ વર્ષની વયના લગભગ 44,16 લાખ, 45 થી 60 વર્ષની ઉંમરના આશરે 16.78 લાખ અને 60 વર્ષથી વધુની વયનાં 9.81 લાખ શહેરીજનોને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. આમ અમદાવાદ 100 ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું છે.

સો ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરનારા અમદાવાદ શહેરના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શહેરમાં હજુ મોટી સંખ્યામાં અનેક લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી આ શહેરીજનોને પણ ઝડપથી રસીનો બીજો ડોઝ આપવાની કવાયત તેજ બનાવવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code