હવાઈ ખતરાને નિષ્ક્રિય કરવામાં આવશે,DRDO અને ભારતીય નૌકાદળ VL-SRSAM મિસાઈલનું સફળ પરીક્ષણ
દિસપુર:ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને નૌકાદળે ટૂંકા અંતરની વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.રક્ષામંત્રી રાજનાથ સિંહે મિસાઈલના સફળ પરીક્ષણ-ફાયરિંગ પર DRDO અને નૌકાદળ અને ઉદ્યોગને અભિનંદન આપતા કહ્યું છે કે,તે હવાઈ જોખમોનો સામનો કરવા માટે નૌકાદળના યુદ્ધ જહાજોની ફાયરપાવરમાં વધારો કરશે.
આ પરીક્ષણ શુક્રવારે નૌકાદળના યુદ્ધ જહાજ દ્વારા ઓડિશામાં સ્થિત ચાંદીપુર પરિક્ષણ રેન્જથી કરવામાં આવ્યું હતું.પરીક્ષણ દરમિયાન, લક્ષ્યને હવામાં વધુ ઝડપે મારવામાં આવ્યું હતું, જે સંપૂર્ણ રીતે સચોટ હતું.ડીઆરડીઓ અને નૌકાદળના અધિકારીઓ મિશન પર સતત નજર રાખતા હતા જેણે તેના તમામ ઉદ્દેશ્યો પૂરા કર્યા હતા.