1. Home
  2. ગુજરાતી
  3. જાણો, ભારતની આકાશ મિસાઈલ સિસ્ટમથી શા માટે કાંપી રહ્યા છે દુશ્મનો?
જાણો, ભારતની આકાશ મિસાઈલ સિસ્ટમથી શા માટે કાંપી રહ્યા છે દુશ્મનો?

જાણો, ભારતની આકાશ મિસાઈલ સિસ્ટમથી શા માટે કાંપી રહ્યા છે દુશ્મનો?

0
Social Share

નવી દિલ્હી: ભારતની  સપાટી પરથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ આકાશની હાલના દિવસોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેણે અન્ય દેશોનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, કારણ કે તે એડવાન્સ્ડ વેપન પ્લેટફોર્મ ખરીદવાનો વિચાર કરી ર્હયા છે. ડીઆરડીઓ તરફથી આ મિસાઈલ સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડે તેનું ઉત્પાદન કર્યું છે. આકાશ એક ટૂંકા અંતરની સરફેસ-ટૂ-એર મિસાઈલ સિસ્ટમ છે, જે નબળા ક્ષેત્રોને હવાઈ હુમલાઓથી બચાવી શકે છે.

ડીઆરડીઓનું કહેવું છે કે ભારત સિંગલ ફાયરિંગ યૂનિટનો ઉપયોગ કરીને આવી ક્ષમતા ધરાવનારો પહેલો દેશ બની ગયો છે. ડોમેસ્ટિક મિસાઈલ સિસ્ટમની ક્ષમતા 12 ડિસેમ્રે અસ્ત્રશક્તિ સૈન્યાભ્યાસમાં દર્શાવવામાં આવી હતી. આ સૈન્યાભ્યાસ ભારતીય વાયુસેના તરફથી આયોજીત કરવામાં આવ્યો.
આકાશ મિસાઈલ સિસ્ટમને ભારતના આયરન ડોમ તરીકે જોવામાં આવે છે.

આકાશ મિસાઈલ સિસ્ટમ-

આકાશ 25 કિલોમીટર સુધીની મારક ક્ષમતાવાળી સરફેસ-ટૂ-એર મિસાઈલ છે. તે ટૂંકા અંતરની મિસાઈલ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સંવેદનશીલ ઠેકાણાઓને હવાઈ હુમલાઓથી બચાવવા માટે કરવામાં આવે છે.

આકાશ વેપન સિસ્ટમથી ગ્રુપ મોડમાં એક જ સમયમાં ઘણાં ટાર્ગેટ પર હુમલા કરી શકાય છે

આકાશમાં ઈલેટ્રોનિક કાઉન્ટર-કાઉન્ટર મેઝર્સ લાગેલા છે. તેનાથી દુસ્મનની મિસાઈલને ભેદવામાં મદદ મળે છે

સંપૂર્ણ આકાશ વેપન સિસ્ટમને મોબાઈલ પ્લેટફોર્મ કોન્ફિગર કરવામાં આવી છે. તે તેને ચુસ્ત અને સ્ફૂર્તિલું બનાવે છે. તેને ઝડફથી કોઈપણ ઠેકાણે લઈ જઈ શકાય છે

આકાશ મોબાઈલ સિસ્ટમ મિસાઈલ છોડયા બાદ અને દુશ્મનના જવાબી હુમલાના શરૂ થતે પહેલા સ્થાન બદલી લે છે, તેનાથી તે લાંબા સમય સુધી યુદ્ધમાં બનેલી રહે છે

આર્મેનિયા બાદ બ્રાઝિલ અને ઈજીપ્તે આકાશ એસએએમ પ્રત્યે રસ દાખવ્યો છે

ખાસ વાત એ પણ છે કે 25 કિલોમીટરના અંતર પર એકસાથે 4 હવાઈ લક્ષ્યોને નિશાન બાવવામાં આકાશ મિસાઈલ પ્રણાલી સક્ષમ છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code