1. Home
  2. ગુજરાતી
  3. અમરનાથ યાત્રાઃ બાબા બર્ફાનીના દર્શન માટે આજે ચોથી ટૂકડી રવાના કરાઈ, 4,500થી વધુ યાત્રીઓ કરશે દર્શન
અમરનાથ યાત્રાઃ બાબા બર્ફાનીના દર્શન માટે આજે ચોથી ટૂકડી રવાના કરાઈ, 4,500થી વધુ યાત્રીઓ કરશે દર્શન

અમરનાથ યાત્રાઃ બાબા બર્ફાનીના દર્શન માટે આજે ચોથી ટૂકડી રવાના કરાઈ, 4,500થી વધુ યાત્રીઓ કરશે દર્શન

0
Social Share

 

શ્રીનગર – 1લી જુલાઈના રોજથી અનમરનાથ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે પ્રથમ દિવસે હજારો ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હતા ત્યાર બાદ કુલ 2 ટૂકડીઓ રવાના કરાઈ હતી ત્યારે આજરોજ સોમવારે બાબા બર્ફાનીના દર્શન માટે યાત્રાળુંઓની ચોથી ટીમને રવાના કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોદ સવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રામાં જોડાવા માટે  4 હજાર 758 શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ 223 વાહનોમાં રવાના થયો હતો. જમ્મુ બેઝ કેમ્પથી 1 હજાર 728 મુસાફરો 96 વાહનોમાં બાલટાલ અને 127 વાહનોમાં 3 હજાર 30 મુસાફરો પહેલગામ જવા રવાના થયા હતા.

આ સહીત આજદીન સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 62 દિવસની રાખવામાં આવી છે. આ વર્ષે આ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ છે અને 31મી ઓગસ્ટ સુધી ચાલશે દેશભરમાંથી હજારો શિવ ભક્તો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને હાલ પણ નોંધણીની પ્રકિયા શરુ જ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code