ગરબા રમવા તૈયાર છો ને? અમદાવાદમાં ખરીદી માટે મોટી ભીડ,લોકોમાં નવરાત્રીનો ગજબ ઉત્સાહ
- નવરાત્રી આવી રહી છે
- ખેલૈયાઓમાં ગરબાનો અનેરો ઉત્સાહ
- ખરીદી માટે બજારોમાં ભીડ જામી
અમદાવાદ:ગુજરાતી પ્રજા અને ગુજરાતમાં જો કોઈ સૌથી વધારે રાહ જોતા હોય તો તે છે નવરાત્રી, ગુજરાતી પ્રજા વિશે તો એવું પણ લોકો કહે છે કે ગુજરાતી પ્રજા વિશ્વના કોઈ પણ ગાયન પર ગરબા રમી શકે, અને ગરબા તે ગુજરાતની અનેરી ઓળખ પણ છે, હવે ફરીવાર તેના માટે લોકો તૈયાર થઈ ગયા છે.
કારણ છે કે ગુજરાતમાં નવરાત્રી આવી રહી છે અને લોકો દ્વારા હવે ફરીવાર તૈયારી કરી દેવામાં આવી છે, ગઈ વખતે તો કોરોનાને કારણે મોટા ભાગના સ્થળોએ ગરબાનું આયોજન થયું હતુ નહી પણ આ વખતે સરકાર દ્વારા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે અને તેના કારણે હવે બજારોમાં ખરીદી માટે પણ મોટી ભીડ જોવા મળી છે.
ગુજરાતમાં નવરાત્રીને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેમાં આ વખતે કોરોના કાળમાં બે વર્ષ સુધી ગરબા ન રમવા મળતા ખેલૈયાઓ આ વખતે ગરબા રમવાની પરમિશન મળતા જ તૈયારીમાં લાગી ગયા છે. તેમાં પણ ખાસ કરીને ચણિયાચોળીની ખરીદી માટે લો ગાર્ડનમાં ગરબા ચાહકો ઉમટી રહ્યા છે.
તેમજ લોકો દ્વારા ખરીદી કરાતા છેલ્લા અનેક સમયથી ધંધાની રાહ જોઇને બેઠેલા આ દુકાનદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ ઘરાકી શરૂ થતાં આગામી દિવસો હજુ પણ વધુ ગ્રાહકો આવે તેવી આશા છે. જેના પગલે તેવો ઉત્સાહભેર ગ્રાહકોને અવનવી ડિઝાઇનર ચણિયા ચોળી પસંદગી માટે બતાવી રહ્યા છે.