1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમ્મુ કાશ્મીરમાં હથિયાર લઈને ભાગતા આતંકવાદીને સેનાએ કર્યો ઠાર
જમ્મુ કાશ્મીરમાં હથિયાર લઈને ભાગતા આતંકવાદીને સેનાએ કર્યો ઠાર

જમ્મુ કાશ્મીરમાં હથિયાર લઈને ભાગતા આતંકવાદીને સેનાએ કર્યો ઠાર

0
Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ આતંકવાદીને ઠાર માર્યો છે, જે શસ્ત્ર છીનવીને ભાગી રહ્યો હતો. આ આતંકવાદીએ શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો હતો અને તે બાદ સુરક્ષાદળોએ તે  આતંકીને ઘેરી લીધો અને પછી ઠાર માર્યો હતો.

જાણકારી અનુસાર જે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે તેની ઓળખ મોહમ્મદ અમીન તરીકે થઈ છે. આતંકવાદી અમીનને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી. તાજેતરમાં, અમીને સુરક્ષા દળોની સામે શરણાગતિ સ્વીકારી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અમીન આતંકી ઘટના સંદર્ભે પોલીસ રિમાન્ડ પર હતો.

આતંકી મોહમ્મદ અમીનનો ભાઈ શબ્બીર મલિક પણ આતંકી હતો. તે જાકીર મૂસાની સંસ્થા ગાઝવત-ઉલ-હિંદ સાથે સંકળાયેલ હતો. વર્ષ 2019માં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં આતંકવાદી શબ્બીર મલિકને ઠાર માર્યો હતો.

કાશ્મીર ઘાટીમાં પ્રવર્તી રહેલી શાંતિથી પાકિસ્તાન અને તેના આતંકીઓ સ્તબ્ધ છે. સુરક્ષા દળો દર વખતે આતંકીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે. 31 મેના રોજ સુરક્ષા દળોએ પણ આવું જ કર્યું હતું. સુરક્ષા દળોએ ગાન્ડરબલ વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂગોળો કબજે કર્યો હતો. દરોડા દરમિયાન એક ચાઇનીઝ પિસ્તોલ, એકે 47-11 મેગેઝિન, 6 રાઉન્ડ પિસ્તોલ, રાઉન્ડ એકે 47-597 અને રાઉન્ડ યુબીજીએલ -12 મળી આવી હતી.

આ દરમિયાન કાશ્મીરથી એક ખરાબ સમાચાર પણ છે. બુધવારે સાંજે ત્રાલમાં મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશ પંડિત સોમનાથની ત્રણ અજાણ્યા આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે હુમલા બાદ પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code