1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રામ મંદિરના પુજારીના નામે ખોટી અને અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ
રામ મંદિરના પુજારીના નામે ખોટી અને અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ

રામ મંદિરના પુજારીના નામે ખોટી અને અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ

0
Social Share

અમદાવાદઃ રામ મંદિરના પૂજારી દોવાનો દાવો કરતો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. રામ મંદિરના પૂજારીના ખોટા નામે અને અભદ્ર ફોટોગ્રાફ બનાવીને લોકોની ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને અમદાવાદ સાયબર ક્રાઈણે તપાસનો ધમધમાટ તેજ કરીને અંતે સમગ્ર મામલે કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટનાને પગલે રાજકીય માહોલ પણ ગરમાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એક વ્યક્તિને મહિલા સાથે બિભત્સ રીતે દેખાડીને એ શખ્સ રામ મંદિરના પૂજારી હોવાના ખોટા દાવા સાથે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. કોંગ્રેસના નેતા હિતેશ પીઠડિયાએ આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો હતો. અંતે સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. સાઈબર ક્રાઈમે સમગ્ર બનાવ અંગે આઈપીસી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. સોશીયલ મીડિયામાં ખોટી પોસ્ટ અને બદનામ કરવાના ષડયંત્રને લઈને સાયબર ક્રાઇમ હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હિતેન્દ્ર પીઠડીયા શીડ્યુલ કાસ્ટ કોંગ્રેસ મોર્ચાના પ્રદેશ પ્રમુખ હોવાનું જાણવા મળે છે. સાયબર ક્રાઈમે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા કવાયત શરુ કરી હતી.

રામ મંદિરના પુજારીના નામે અભદ્ર ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની ઘટનાને પગલે હિન્દુ સંગઠનો અને હિન્દુઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે, તેમજ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી કરી હતી. તેમજ આવી પોસ્ટ મારફતે હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચડવાનો કોંગ્રેસના નેતા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુ અને સનાતન ધર્મનું અપમાન થાય તેવા પ્રયાસો કોંગ્રેસ અને તેમની સાથે જોડાયેલા અન્ય વિપક્ષી પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના આગેવાની હેઠળના I.N.D.I.A સંગઠનના સભ્ય ડીએમકેના નેતા અને તમિલનાડુના મંત્રી ઉદયનીધિ સ્ટાલિને સનામત ધર્મને ખતમ કરવા સુધીની એક કાર્યક્રમમાં વાત કરી હતી. તેમ છતા કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓએ આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code