દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતી 16 ફ્લાઇટ ને ડાયવર્ટ કરવામાં આવતા યાત્રીઓ થાય હેરાન પરેશાન
દિલ્હી – દેશભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે જેને અસર ફ્લાઇટ સેવ પર પણ જોવા મળી હતો ત્યારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી લગભગ 16 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી લેન્ડ થતી ફ્લાઇટ ને ખરાબ હવામાનને કારણે 10 ફ્લાઈટને જયપુર, ત્રણ લખનૌ, બે અમૃતસર અને એક ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. જેને કારણે યાત્રીઓ એ હેરાન થવાનો વારો આવ્યો હતો .
રાજધાની દિલ્હીમાં વિતેલા દિવસને સોમવારે સાંજે ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો હતો. આનાથી હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો. આ કારણે સોમવારે ઓછામાં ઓછી 16 ફ્લાઈટને દિલ્હીથી જયપુર, લખનૌ, અમૃતસર અને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી.
જાણકારી આપ્યા પ્રમાણે ખરાબ હવામાન અને દિલ્હી એરપોર્ટ પર એર ટ્રાફિક વધવાને કારણે ગુવાહાટીથી દિલ્હી આવી રહેલી વિસ્તારાની ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી.વિસ્તારાની બીજી ફ્લાઈટ UK 778 કોલકાતાથી દિલ્હી આવી રહી હતી. જેને લખનઉ ડાયવર્ટ કરવી પડી હતી .આ મામલે પેસેન્જર દ્વારા ફરિયાદો પણ કરાઇ છે ,
આ સમગ્ર બાબત ને લઈને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ આ જાણકારી આપી. ડાયવર્ટ કરાયેલી 16 ફ્લાઈટ્સમાંથી 10ને જયપુર, ત્રણ લખનૌ, બે અમૃતસર અને એક અમદાવાદ તરફ રવાના કરવામાં આવી હતી.
tags:
dilhi