1. Home
  2. ગુજરાતી
  3. રામજન્મભૂમિ આંદોલન: ‘મંદિર વહી બનાયેંગે’ સૂત્રની કહાની કરી દેશે આશ્ચર્યચકિત
રામજન્મભૂમિ આંદોલન: ‘મંદિર વહી બનાયેંગે’ સૂત્રની કહાની કરી દેશે આશ્ચર્યચકિત

રામજન્મભૂમિ આંદોલન: ‘મંદિર વહી બનાયેંગે’ સૂત્રની કહાની કરી દેશે આશ્ચર્યચકિત

0
Social Share

નવી દિલ્હી: દાયકાઓ જૂના રામજન્મભૂમિ આંદોલનનો સૌથી ચર્ચિત નારો છે, રામલાલ હમ આયેંગે મંદિર વહીં બનાયેંગે. પરંતુ આ સૂત્રો કોઈ સાધુ-સંત અથવા કોઈ નેતાએ આપ્યું નથી. આ સૂત્ર 22 વર્ષીય એક યુવકે આપ્યું હતું. તે અયોધ્યાથી લગભગ 1 હજાર કિલોમીટર દૂર એક કાર્યક્રમમાં હતા અને ભીડની વચ્ચે તેમણે અચાનકથી આ લાઈન બોલી દીધી. તેની સાથે રામલલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે સૂત્ર રામજન્મભૂમિ આંદોલનનું પ્રતીક બની ગયું હતું.

1 ફેબ્રુઆરી, 1984ના રોજ જ્યારે ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ જજ કે. એમ. પાંડેયના આદેશ પર બાબરી મસ્જિદ-રામજન્મભિ પર લગાવામાં આવેલું લગભગ 37 વર્ષ જૂનું તાળું ખોલવામાં આવ્યું. પોતાની રાજકીય જમીનને મજબૂત કરવા માટે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આ નિર્ણય કર્યો હતો. પરંતુ તાળું ખોલવાને કારણે મુસ્લિમ પક્ષ નારાજ થયો હતો. નારાજગી જાહેર કરવા અને બાબરી મસ્જિદ પર પોતાનો હક કાયમ કરવા માટે 1986માં બાબરી મસ્જિદ એક્શન કમિટી બનાવી દેવાય હતી.

તો કોર્ટના આદેશ પર તાળું ખુલ્યા બાદ રામલલાની પૂજા પણ શરૂ થઈ. આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામજન્મભૂમિ માટે આંદોલન ચાલતું રહ્યું. તે વર્ષે એટલે કે 1986માં ઉજ્જૈનમાં બજરંગ દળનો વર્ગ યોજાયો હતો. આ શિબિરમાં એમકોમનો અભ્યાસ કરી રહેલા સત્યનારાયણ મૌર્ય હાજર હતા.

વર્ગની અંદર સાંજે જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા હતા, સત્યનારાયણ મૌર્યે એક સૂત્ર આપ્યું- રામલલા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે. જોતજોતામાં ભીડ આ સૂત્રનો ઉદ્ઘોષ કરવા લાગી. ધીરેધીરે આ સૂત્ર રામજન્મભૂમિ આંદોલનનું પ્રતીક બની ગયું. પરંતુ આ સૂત્ર પર રાજનીતિ પણ ખૂબ થઈ છે.

આ સૂત્રને લઈને વિપક્ષી પાર્ટીઓએ ભાજપની પેરોડી પણ બનાવી. આ સૂત્રમાં એક લાઈન વધુ જોડી દેવામાં આવી. વિપક્ષનું સૂત્ર હતું- રામલલા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાએંગે અને આ વાત સાચી પણ હતી, કારણ કે 1986માં બનેલા આ સૂત્ર બાદ 1989માં પાલમપુરમાં થયેલા અધિવેશનમાં ભાજપે રામમંદિરને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યું. ત્યારથી એટલે કે 1989થી 2019 વચ્ચે કુલ 9 લોકસભા ચૂંટણી યોજાઈ અને તેમાં તે ભાજપના એજન્ડામાં હતું.

દરેક ચૂંટણામાં ભાજપ પાસે રામમંદિરનો મુદ્દો બનેલો જ રહ્યો. શરૂઆતમાં 1996માં 13 દિવસ, 1998માં 13 માસ અને પછી 199માં પુરાં પાંચ વર્ષ માટે ભાજપની સરકાર રહી. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન રહ્યા પણ રામમંદિર બન્યું નહીં.

બાદમાં 2014 અને પછી 2019માં સતત બે વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. આ બંને ચૂંટણીમાં પણ ચૂંટણી ઘોષણા પત્રમાં રામમંદિરનો મુદ્દો સામેલ હતો, પણ મંદિર ત્યારે બન્યું ન હતું.

રામલલા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાયેગે-ના વિપક્ષી ટોણાંઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર, 2019ના રોજ ચુકાદો આપ્યો અને તેની સાથે 5 ઓગસ્ટ, 2020માં કોરોનાકાળ વચ્ચે મંદિરનો શિલાન્યાસ થયો અને હવે 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પણ તારીખ નક્કી છે.

તેની સાથે જ સત્યનારાયણ મૌર્યાએ આપેલું સૂત્ર રામલલા હમ આયેંગે મંદિર વહીં બનાયેંગે સાચું સાબિત થઈ ગયુ છે. તો વિપક્ષ દ્વારા કરવામાં આવેલા તારીખ નહીં બતાયેંગેના કટાક્ષનો પણ જવાબ મળી ગયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code