1. Home
  2. ગુજરાતી
  3. મોબાઈલ ફોનનું હાઈસ્પીડ ચાર્જર ખરીદતા પહેલા આટલી સાવચેતી રાખવી જરુરી
મોબાઈલ ફોનનું હાઈસ્પીડ ચાર્જર ખરીદતા પહેલા આટલી સાવચેતી રાખવી જરુરી

મોબાઈલ ફોનનું હાઈસ્પીડ ચાર્જર ખરીદતા પહેલા આટલી સાવચેતી રાખવી જરુરી

0
Social Share

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છે, એટલું જ નહીં અનેક લોકો ચાર્જિંગના અભાવે ફોન બંધ ના થઈ જાય તેનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. જેથી મોફાઈબ ફોન સાથેનું ચાર્જર કામ કરતું બંધ થઈ જાય ત્યારે મોટાભાગના લોકો ઝડપી ચાર્જિંગ થાય તેવુ ચાર્જર વસાવે છે, ચાર્જરની યોગ્ય ચકાસણી વિના હાઈસ્પીડનું ચાર્જર વસાવવું ભવિષ્યમાં મોટી સમસ્યા ઉભી કરી શકે છે. તેમજ હાઈ સ્પીડ ચાર્જર ફોનને પણ નુકશાન પહોંચાડે તેવી શકયતા છે. જેથી ચાર્જરની ખરીદી કરતી વખતે કેટલીક મહત્વની વાતોને ધ્યાનમાં રાખવી જરુરી છે. જેના પરિણામે મોબાઈલ ફોનને થતા નુકશાનને પણ અટકાવી શકાય છે.

ચાર્જર ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવાની મહત્વની વાતો

  • આને ચેક કરવાની એક સરળ રીત છે ફોનના સ્પેસિફિકેશનને તપાસો. તેમાં તમે જોશો કે તે કેટલી ઝડપથી ચાર્જનો સામનો કરી શકે છે.
  • ચાર્જર ખરીદતી વખતે, પછી તેનું વોલ્ટેજ (V) અને એમ્પીયર (A) તપાસો અને તેને તમારા ફોનના સ્પષ્ટીકરણ સાથે મેચ કરો.
  • જો તમારા ફોનની ચાર્જિંગ ક્ષમતા સમાન રેન્જમાં હોય તો સારું છે, પરંતુ જો ચાર્જર ક્યાંક ફાસ્ટ હોય તો તેને પડતુ મુકીને નવું ચાર્જર ખરીદો.
  • ચાર્જર ખરીદતી વખતે હંમેશા સલામતીનું ધ્યાન રાખો, સસ્તાના નામે એવું કોઈ ચાર્જર ન ઉપાડો, જેનાથી તમારા ફોનને નુકશાન થાય.
  • સામાન્ય રીતે તેઓ સુરક્ષા તપાસમાંથી પસાર થતા નથી અને તમારા ફોનની બેટરી પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code