1. Home
  2. ગુજરાતી
  3. ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની શપથવિધિ આજે નહીં પણ કાલે થશે, સિનિયરોને પડતા મુકવાના મુદ્દે વિરોધ
ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની શપથવિધિ આજે નહીં પણ કાલે થશે, સિનિયરોને પડતા મુકવાના મુદ્દે વિરોધ

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની શપથવિધિ આજે નહીં પણ કાલે થશે, સિનિયરોને પડતા મુકવાના મુદ્દે વિરોધ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં નવા મુખ્યમંત્રી તરીકેના ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ તેમના મંત્રી મંડળના શપથવિધીની આજે વહેલી સવારથી અનેક અટકળો ચાલી રહી હતી. આમ તો પહેલા ગુરૂવારે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ બુધવારે સાંજે જ શપથવિધિની જાહેરાત કરવામાં આવી હતી. અમે બીજીબાજુ પડતા મુકવામાં આવી રહેલા સિનિયર મંત્રીઓના મનામણા કરવામાં આવી રહ્યા હતા. પરંતુ કહેવાય છે કે, મામલો વધુ ગંભીર બને તામ લાગતા મંત્રી મંડળની શપથવિધિનો કાર્યક્રમ પાછો ઠેલીને ગુરૂવાર પર લઈ જવાયો હતો. હવે આવતી કાલે બપોરે મંત્રી મંડળની શપથવિધિ યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના બંગલે ઘારાસભ્યોની અવરજવર પણ વધી હતી. તે ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. જેમાં મંત્રીઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી. એક બાજુ રાજભવન ખાતે શપથવિધિના પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. બાદમાં આ પોસ્ટર્સને હટાવી દેવાયા હતાં. આજે સાંજે 4.20 વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની હતી. પરંતુ હવે તે કાલે યોજાય તેવી શક્યતાઓ છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા એ ગુજરાતની જનતા માટે સરપ્રાઈઝ નામ હતું. હવે મંત્રીમંડળની રચના માટે અનેક જુના લોકોને પડતા મુકીને નવાને સ્થાન આપવાની વાત વહેતી થઈ છે. પરંતુ જાણવા મળ્યા મુજબ ભૂપેન્દ્રભાઈનું મંત્રીમંડળ પણ એક ટોટલ સરપ્રાઈઝ પેકેજ હોય તો નવાઈ નહીં.
ભાજપના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને ડ્રોપ કરી દેવાય તેવી શક્યતા છે. એટલું જ નહીં, જુના ચહેરાઓ સામે એન્ટી ઈન્કમ્બન્સી ઉભી ના થાય તે માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે. આજે બપોરે 4.20 વાગ્યે શપથવિધિ યોજાવાની હતી તે મુલત્વી રાખવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રીઓ બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસ સ્થાન ખાલી કરવા સૂચના અપાઈ હોવાનું કહેવાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત ભાજપમાં બે મોટા જૂથ આનંદીબેન- અમિત શાહ જૂથના ધારાસભ્યોને મંત્રી બનાવવા માટેની ખેંચતાણ ચાલી રહી છે. ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે અંદરખાને મોટી તડાફડી છે. એટલે મંત્રીમંડળની રચના જેમ બને એમ વહેલી થાય તો સારુ અને એ દિશામાં જ કામગીરી ચાલી રહી છે. રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code