1. Home
  2. ગુજરાતી
  3. CM શિંદે અને ઠાકરે જૂથના રાજકીય વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના 7 ન્યાયમૂર્તિઓની બેંચ સુનવણી કરશે
CM શિંદે અને ઠાકરે જૂથના રાજકીય વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના 7 ન્યાયમૂર્તિઓની બેંચ સુનવણી કરશે

CM શિંદે અને ઠાકરે જૂથના રાજકીય વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના 7 ન્યાયમૂર્તિઓની બેંચ સુનવણી કરશે

0
Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો મામલો સાત જજોની મોટી બેંચને મોકલી આપ્યો છે. 2022ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આજે આ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી સંબંધિત અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો હતો જેના કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની તત્કાલીન મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન સરકાર પડી હતી. જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હા પણ આ બંધારણીય બેંચમાં સામેલ હતા.

સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચે સંબંધિત અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ 16 માર્ચ, 2023ના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલે અંતિમ સુનાવણી 21 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને નવ દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

સુનાવણીના છેલ્લા દિવસે સર્વોચ્ચ અદાલતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તે ઉદ્ધવ ઠાકરેની સરકારને કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકે છે જ્યારે તત્કાલીન મુખ્ય પ્રધાને ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરે તે પહેલાં રાજીનામું આપી દીધું હતું. સુનાવણી દરમિયાન, ઠાકરે જૂથે, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન નબામ તુકીની સરકારને પુનઃસ્થાપિત કરનાર તેના 2016 ના ચુકાદાને પગલે, કોર્ટને તેમની સરકારને પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારની કામે શિવસેનાના શિંદે જૂથે બળવો કર્યો હતો. તેમજ એકનાથ શિંદેએ ભાજપા સાથે મળીને સરકાર બનાવી હતી. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code