1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠાના થરાદ તાલુકામાં જીરાના પાકમાં કાળીયાનો રોગ, ખેડૂતોને પારાવાર નુકસાન
બનાસકાંઠાના થરાદ તાલુકામાં જીરાના પાકમાં કાળીયાનો રોગ, ખેડૂતોને પારાવાર નુકસાન

બનાસકાંઠાના થરાદ તાલુકામાં જીરાના પાકમાં કાળીયાનો રોગ, ખેડૂતોને પારાવાર નુકસાન

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા  થરાદ તાલુકામાં  ખેડૂતોએ સિંચાઇ માટે પાણીના ધાંધીયા વચ્ચે રાત-દિવસ મહેનત કરીને મહામુલો રવિ પાક તૈયાર કર્યો છે. પરંતુ જીરાના પાકમાં ચરમી (કાળીયા) ના રોગના કારણે અડધો અડધ નુકશાન થવા પામ્યું છે. તેમાંય વાદળછાયા વાતાવરણથી તાલુકામાં કેટલાક ખેડુતોનો શિયાળુ પાક નિષ્ફળતાના આરે આવતાં ધરતીપુત્ર હતાશા તરફ ધકેલાઇ રહ્યો છે. આ વખતે જીરાનો ભાવ પણ વધુ છે. પરંતુ થરા તાલુકામાં જીરાના પાકમાં રોગને કારણે પુરતું ઉત્પાદન થઈ શક્યું નથી. એટલે ખેડુતોને પારાવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠામાં થરાદ તાલુકો કૃષિ ઉત્પાદનમાં મોખરે રહેતો હોય છે. તાલુકાના ખેડુતો પણ ખૂબજ મહેનતું હોવાથી દરેક સીઝનમાં સારો પાક લેતા હોય છે. આ વખતે ખેડૂતોએ રાત-દિવસ એક કરીને તનતોડ મહેનત કરીને જીરું, ઇસબગુલ, રાયડા, મેથી, અજમો સહિતનો પાક તૈયાર કર્યો હતો. જીરાના પાકમાં ચરમીનો રોગ જોવા મળતાં 6777 હેકટર પૈકી અડધોઅડધ પાકમાં નુકશાન થવા પામ્યું છે. તેમાંય સરહદી થરાદ પંથકમાં છેલ્લા બે દિવસથી રવિપાકો માટે પ્રતિકુળ ગણાતા સર્જાયેલા વાદળછાયા વાતાવરણને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘વાદળછાયા વાતાવરણની સૌથી વધુ અસર જીરૂ અને ઇસબગુલના પાકને થતી હોય છે. સરહદી પંથકના કેટલાક ગામોના ખેડૂતોના ખેતરમાં ઉભેલા જીરાના પાકમાં ચરમી (કાળીયા) નામના રોગે દેખા દીધી છે.

આ અંગે થરાદની ખેતીવાડી કચેરીના વિસ્તરણ અધિકારી ખેતીએ જણાવ્યું હતું કે ‘વાદળછાયા વાતાવરણથી જીરામાં ચરમી(કાળીયા) રોગની શક્યતા રહેલી હોય છે. આથી ખેડૂતોએ પાકને પાણી આપવાનું ટાળવું જોઇએ અને ફુગનાશક દવાનો પણ છંટકાવ કરવો જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code