1. Home
  2. ગુજરાતી
  3. બૉલીવુડ એક્ટર સંદીપ નાહરે કરી આત્મહત્યા -એમ એસ ધોની અને કેસરી ફિલ્મથી મળી હતી આગવી ઓળખ
બૉલીવુડ એક્ટર સંદીપ નાહરે કરી આત્મહત્યા -એમ એસ ધોની અને કેસરી ફિલ્મથી મળી હતી આગવી ઓળખ

બૉલીવુડ એક્ટર સંદીપ નાહરે કરી આત્મહત્યા -એમ એસ ધોની અને કેસરી ફિલ્મથી મળી હતી આગવી ઓળખ

0
Social Share
  • બોલિવબડ એક્ટર સંદિપ નાહરે આત્મહત્યા કરી
  • આત્મહત્યા પહેલા વીડિયો અને નોટ સોશિયલ મીડિયા પર પોસ્ચ કર્યો

મુંબઈઃ-સમગ્ર બોલિવૂડ જગતમાં અવાર નવાર કોઈને કોઈ સેલિબ્રિટીના આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આ સ્યૂસાઈડ લીસ્ટમાં વધુ એક એક્ટર આવી ચૂક્યો છે, બોલિવૂડ યંગ એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા કરી લીધી છે. આ મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, જો કે આત્મ હત્યા કરતા પહેલા સંદીપે સોશિયલ મીડિયા પર એક વીડિયો અને સુસાઇડ નોટ શેર કરી હતી.

સંદિપે આ નોટમાં પોતાની મુશ્કેલીોના લીઘે આત્મહત્યા કરવાની વાતનો ખુલાસો કર્યો છે,તેમણે આ પગલું ભરવા પાછળ કોઈને જવાબદાર ગણાવ્યા નથી.આ સાથે જ તેમણે નોટમાં લખ્યું છે કે મારા પરિવારને આ બબાતે જવાબદાર ગણાવવામાં ન આવે.

મુંબઈ પોલીસે મીડિયાને આપેલી માહિતી પ્રમાણે નાહરનું નિધન મુંબઈના ગોરેગામ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસ સ્થાને આત્મહત્યાના કારણે થવા પામ્યું છે, આત્મહત્યા મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

એક્ટર નાહરે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીમાં સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળ્યા ગતા, આ સાથે જ અક્ષય કુમાની ફિલ્મ કેસરીમાં પણ તેમણે કામ કરીને એક આગવી ઓળખ બનાવી હતી, આ બે ફિલસ્મો થકી તેમને ખાસ ઓળખ મળી હતી.

સંદીપ નાહરના ફૅસબુક અકાઉન્ટ પર  આત્મહત્યા કર્યા થોડા કલાકો પહેલા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેની સાથે રોમન હિન્દીમાં લખેલી લાંબી નોટ પણ શેર કરવામાં આવી છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code