પાકિસ્તાન સાથેના સિઝફાયર બાદ રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી શુક્રવારે અને શનિવારે ગુજરાતના ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન સૈનિકોને મળશે. તેમની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહ આ ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર દળોની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે અને મજબૂત સુરક્ષા પગલાંની અસરકારકતાની તપાસ કરશે. લશ્કરી તણાવ વચ્ચે, પાકિસ્તાની સેનાએ ડ્રોન દ્વારા ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો […]


