1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

બાંગ્લાદેશમાં ફરી શેખ હસીનાની સરકાર, 5મી વખત પીએમ બનશે

બાંગ્લાદેશમાં ફરી એક વાર શેખ હસીના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે 300 બેઠકમાંથી બે-તૃતિયાંશથી વધુ બેઠકો જીતી હતી. શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેઓ 2009થી વડાપ્રધાન છે. એનાથી પહેલા 1991 થી 1996 સુધી પણ શેખ હસીના વડાપ્રધાન રહી ચુક્યા છે. અત્યાર સુધીના મતગણતરીમાં શેખ હસીનાની પાર્ટી […]

TMCએ પ.બંગાળમાં કૉંગ્રેસને 2 સીટ કરી ઓફર, અધીર રંજને કહ્યુ- અમે મમતા પાસે ભીખ નથી માંગી

કોલકત્તા : ઈન્ડિયા બ્લોકમાં સીટ શેયરિંગ પર સમજૂતદી પહેલા જ વિવાદના અહેવાલ છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ સીધું તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમમે ત્યાં સુધી કહ્યું છે કે મમતા બેનર્જી ગઠબંધન જ ઈચ્છતા નથી. તેઓ મોદીની સેવામાં જ લાગેલા છે. બુધવારે સૂત્રોએ એક મેગેઝીનને જણાવ્યું હતું […]

જાન્યુઆરી-માર્ચ 2024 માટે 2 નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો કરાયો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે બે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. નાણા મંત્રાલયની સૂચના મુજબ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ પર વ્યાજ દર 8 ટકાથી વધારીને 20 બેસિસ પોઈન્ટ્સથી 8.2 ટકા કરવામાં આવ્યો છે. વધુમાં, ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝીટ પર વ્યાજ 7.0 ટકાથી 10 બેસિસ […]

રાષ્ટ્રપતિએ આ મહત્વપૂર્ણ બિલની આપી મંજૂરી, હવે કાયદો બનશે

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા પછી મુખ્ય ચુંટણી અને અન્ય ચુંટણી કમિશનરોની નિમણૂંક માટેના બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મંજૂરી આપી છે. સંસદના શિયાળુ સત્રમાં આ બિલને સંસદના બંને ગૃહ લોકસભા-રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. 12 ડિસેમ્બરે મુખ્ય ચુંટણી કમિશનર અને અન્ય ચુંટણી કમિશનર બિલ 2023ને વોઈસ વોટ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતુ. રાજ્યસભામાં […]

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રોથી નાગરિકોને અંદાજે રૂ..23,000 કરોડની બચત

નવી દિલ્હીઃ વર્ષ 2023માં, ફાર્માસ્યુટિકલ વિભાગમાં વિવિધ કાર્યક્રમો અને પહેલનો અમલ કરવામાં આવ્યો હતો. ભારત સરકારની એક મોટી પહેલ ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના’એ રોકાણ અને ઉત્પાદનમાં વધારો કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારતની ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરવા માટે ગરીબ અને વંચિતોને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવા અને પીએલઆઈ યોજના માટે 10,000 રિટેલ આઉટલેટ્સ ખોલવાનું લક્ષ્ય હાંસલ કર્યું […]

 કેબિનેટે 2024 સીઝન માટે કોપરાના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2024 સીઝન માટે કોપરા માટે લઘુત્તમ સમર્થન કિંમતો (MSPs) માટે તેની મંજૂરી આપી દીધી છે. ખેડુતોને વળતરયુક્ત ભાવો પ્રદાન કરવા માટે, સરકારે 2018-19ના કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તમામ ફરજિયાત પાકોના MSPs એ તમામ ભારતીય ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે નિર્ધારિત કરવામાં […]

ભારત અને ઇટાલી વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા સમજૂતીને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત સરકાર અને ઇટાલીની સરકાર વચ્ચે સ્થળાંતર અને ગતિશીલતા સમજૂતી પર હસ્તાક્ષર કરવા અને તેને બહાલી આપવા માટે વિદેશ મંત્રાલયની દરખાસ્તને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ સમજૂતીથી બંને પક્ષો વચ્ચે લોકોનો લોકો સાથેનો સંપર્ક વધશે, વિદ્યાર્થીઓ, કુશળ કામદારો, વ્યાવસાયિકો અને યુવાન વ્યાવસાયિકોની અવરજવર વધશે તથા […]

“આપણી માતાઓ અને બહેનોનો આત્મવિશ્વાસ આપણા દેશને આત્મનિર્ભર બનાવશે”: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા. 1.3 લાખ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપમાં […]

પાકિસ્તાનઃ કાશ્મીર મુદ્દે ઝેર ઓકનાર બિલાવલની પાર્ટીએ હિન્દુ મહિલાને ચૂંટણી મેદાનમાં ઉતારી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાવનારી સામાન્ય ચુંટણીમાં પહેલી વખત કોઈ હિંન્દુ મહિલાએ ઉમેદવારી કરી છે. સવેરા પ્રકાશ નામની હિન્દુ મહિલા ખૈબર પખ્તૂનખ્વાના બુનેર જિલ્લાથી છે. આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવનારી 16મી નેશનલ અસેમ્બલીની ચુંટણી પ્રક્રિયા શરૂ થઈ છે. પાકિસ્તાનમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરુ કર્યું છે. એવામાં એક હિંન્દુ મહિલાએ ફેબ્રુઆરીમાં યોજાવનારી ચુંટણીમાં […]

દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને નથી મળી રાહત, કસ્ટડી વધી

નવી દિલ્હીઃ દિલ્લી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને અદાલત પાસે થી કોઈ રાહત મળી નથી. રાઉસ એવન્યું કોર્ટે તેમની કસ્ટડીનો સમય વધારી દિધો છે. તેમને 19 જાન્યુઆરી 2024 સુધી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં રહેવુ પડશે. અદાલતે ગુનેગારોના વકીલને સીબીઆઈ મુખ્યાલયમાં દસ્તાવેજોનું નિરીક્ષણ કરવા માટે 15 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. કોર્ટે સીબીઆઈને નિરીક્ષણ માટેની સુવિધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code