1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં કેન્ટોનમેન્ટ બોર્ડની સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગનો રમતોત્સવ યોજાયો

રમતોત્સવના કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરાયો રમતોત્સવમાં રિવર્સ રેસ, બોટલ રિલે રેસ, દેડકા દોડ સંગીત ખુરશી સહિતની રમતો યોજાઈ, બાળકોએ તમામ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો અમદાવાદઃ શહેરમાં કેન્ટોનમેન્ટ બોર્ડ સંચાલિત શ્રીમતી જી.જી.આઈ. સ્કૂલના પ્રિ-પ્રાઈમરી વિભાગનો રમતોત્સવ યોજાયો હતો. વિવિધ રમતોમાં રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોત્સવના કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને સૂર્ય નમસ્કારથી […]

ભારતીય સેનાએ ક્રિટિકલ CBRN ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદ્યા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મેસર્સ L&T લિમિટેડ સાથે 80.43 કરોડ રૂપિયાના ખર્ચે 223 ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ (ACADA) સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતીય ખરીદ (IDDM) શ્રેણી અંતર્ગત છે. જેનાથી ભારત સરકારના આત્મનિર્ભરતા અભિયાનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે, કારણ કે ઉપકરણોના 80%થી વધુ ઘટકો અને સબ-સિસ્ટમ્સ સ્થાનિક રીતે ખરીદવામાં આવશે. ACADAને DRDOના […]

વીમા કંપનીને નુકશાન પહોંચડનાર તત્કાલિન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીને કોર્ટે ફટકારી 5 વર્ષની સજા

ગાંધીનગરઃ સીબીઆઇ કોર્ટે UIICL, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને સજા ફટકારી છે. એક મેનેજિંગ ડિરેક્ટર અને બે ખાનગી કંપનીઓના ડિરેક્ટરને વીમા દલાલીની કપટપૂર્ણ ચૂકવણી સાથે સંબંધિત કેસમાં કુલ રૂ. 5.91 કરોડ (બે આરોપી કંપનીઓ પર લાદવામાં આવેલા 5.52 કરોડ સહિત)ના કુલ દંડ સાથે 05 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઈ […]

અમદાવાદનો સ્થાપના દિવસ, અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે

અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી. આજે અમદાવાદીઓ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ મનાવી રહ્યા છે. 1000 વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવતા અમદાવાદે ભારતની આઝાદીમાં મોટું યોગદાન આપ્યું છે. અમદાવાદ શહેરની સ્થાપનાનો ઇતિહાસ? ઈ.સ. 1411માં પાટણ પર દિલ્હીના શહેનશાહ અલાઉદ્દીન ખિલજીના લશ્કરનો વિજય થયો અને ગુજરાતમાં મુઝદફ્ફરી વંશની સ્થાપના થઈ. આજ […]

બાંગ્લાદેશના ક્રિકેટરે કરી મહાશિવરાત્રીની ઉજવણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહી છે. જો કે, ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ટીમમાં સ્થાન ન પસંદગી ના પામનાર વિકેટકિપર કમ બેસ્ટમેન લિટ્ટન દાસ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ક્રિકેટર શિવ મંદિરમાં પુજા કરતા […]

ચાલુ વર્ષે જ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ્સમાં ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ એડવાન્ટેજ આસામ 2.0 ના સત્રને સંબોધતા, રેલ્વે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપનાથી એટલી ઉત્તમ ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે કે ઘણા દેશોએ અહીં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટેની યોજનાઓનું અનાવરણ કરતા, તેમણે ઉત્તરપૂર્વને ભારતના વિકાસ માટે નવું એન્જિન ગણાવ્યું હતું. કેન્દ્રીય […]

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા ઉપલબ્ધ ન હોવી જોઈએ, દવાના વેચાણ અંગે કેન્દ્રએ રાજ્યોને સૂચનાઓ આપી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વ્યસન મુક્તિ અભિયાન હેઠળ દેશમાં સાયકોટ્રોપિક દવાઓના ગેરકાયદેસર ઉપયોગને ઘટાડવા માટે કડક પગલાં લેવા તમામ રાજ્યોને આદેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું છે કે, આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવી જોઈએ નહીં. ગુણવત્તાયુક્ત દવાઓ સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી ધોરણોને મજબૂત બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે […]

2024-25 રવિ સિઝનમાં ખેડૂતોની આવકમાં 12.5 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભાવમાં ભારે વધારાને કારણે, ચાલુ રવિ સિઝન 2024-25માં ખેડૂતોની આવકમાં વાર્ષિક ધોરણે 12.5 ટકાનો વધારો થવાની ધારણા છે. વર્ષ 2025માં ખેડૂતોની આવકમાં આ વધારો છેલ્લા પાંચ વર્ષમાં 10.3 ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર કરતાં વધુ છે. ગયા વર્ષે રવિ સિઝનમાં ખેડૂતોની આવકમાં 6.8 ટકાનો વધારો નોંધાયો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) […]

તમિલનાડુના કુલિથલાઈમાં બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચના મોત

બેંગ્લોરઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન તમિલનાડુમાં બસ અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે અનેક વ્યક્તિઓને ઈજા થઈ હતી. માર્ગ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુના કરુર જિલ્લામાં કુલિથલાઈ […]

મહાશિવરાત્રિ પર્વની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધાર્મિક માહોલ સાથે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે પ્રયાગરાજ મહાકુંભનું છેલ્લું સ્નાન પણ છે, જેમાં લાખો લોકો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. દરમિયાન મહાશિવરાત્રી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતા, પીએમ મોદીએ કહ્યું કે આ દિવ્ય અવસર તમારા બધા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code