1. Home
  2. ગુજરાતી
  3. CBSE પરીક્ષાઃ એક વર્ગખંડમાં 18 વિદ્યાર્થીઓને બેસવાની મંજૂરી
CBSE પરીક્ષાઃ એક વર્ગખંડમાં 18 વિદ્યાર્થીઓને બેસવાની મંજૂરી

CBSE પરીક્ષાઃ એક વર્ગખંડમાં 18 વિદ્યાર્થીઓને બેસવાની મંજૂરી

0
Social Share

નવી દિલ્હીઃ સીબીએસઈની ધો-10 અને 2ની ટર્મ-2ની પરીક્ષાઓનો તા. 26મી એપ્રિલના રોજ પ્રારંભ થશે. જો કે, બોર્ડની પરીક્ષાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ વર્ષે એક ક્લાસ રૂમમાં 18 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા બેસશે, આમ બેઠક વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધો-10 અને 12ની પરીક્ષામાં 30 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા છે.

બોર્ડની પરીક્ષાને લઈને દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. CBSE એ આ વખતે એક વર્ગમાં 18 વિદ્યાર્થીઓને ટર્મ-II પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી છે. પરીક્ષામાં સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ સિવાય વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે.  CBSE વર્ગ 10મી, 12મી ટર્મ 2 પરીક્ષા 2022 બે કલાકની હશે. જે મુજબ સવારે 10:30 થી બપોરે 12:30 દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ સવારે 9:30 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સવારે 10:00 વાગ્યે બંધ રહેશે. આ પછી વિદ્યાર્થીને કોઈપણ સંજોગોમાં અંદર જવા દેવામાં આવશે નહીં. સવારે 10:00 વાગ્યે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અને ઉત્તરવહીનું વિતરણ કરવામાં આવશે, જેથી તેઓ કાળજીપૂર્વક ઉત્તરપત્ર ભરી શકે અને પ્રશ્નપત્ર પણ જોઈ શકે. વિદ્યાર્થીને વાંચનનો 20 મિનિટનો સમય આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code