1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ થતાં ચંદીગઢ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ થતાં ચંદીગઢ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ થતાં ચંદીગઢ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

0
Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રન-વે પર  ગો-ફર્સ્ટ એરવેજની ફ્લાઈટને બર્ડ હિટ થતાં તેને ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ઉડેલી ગો ફર્સ્ટની અમદાવાદ-ચંડીગઢ ફ્લાઇટને બર્ડ હિટ થતાં તેને ઇમર્જન્સિંગ લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ એરપોર્ટ પરથી ઉડીને 25 મિનિટ બાદ પરત ફરવાની ફરજ પડી હતી..

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટ પર ગુરૂવારે બર્ડ હિટનો બનાવ બન્યો હતો. અમદાવાદથી ચંડીગઢ જઈ રહેલી ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા, અચાનક સમસ્યા સર્જાતા ફ્લાઈટને ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મુસાફરોને અન્ય પ્લેન મારફતે ચંડીગઢ રવાના કરવામાં આવ્યા હતા.  પ્લેન ઉડ્યાના 25 મિનિટ બાદ આ સમસ્યા સર્જાતા ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ અંગેની જાણ DGCIને પણ કરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર બર્ડ હિટના બનાવો બનતા હોય છે. બર્ડહીટ ન થાય તે માટે રન-વે પર ખાસ તકેદારી ખવામાં આવતી હોય છે. મહિનાઓ પહેલા રન-વે પર વાનરો ઘૂંસી આવતા હતા. ઘણીવાર કૂતરાઓ પણ આવી જતાં હોય છે. જોકે એરપોર્ટ ઓથોરિટા દ્વારા રાત-દિવસ તકેદારી રાખવામાં આવે છે. જેના માટે ખાસ સ્ટાફની નિમણૂંક પણ કરવામાં આવી છે. વાનરો અને કૂતરાઓને રન-વે પર આવતા કોરી શકાયા છે. પક્ષીઓ સામે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ બર્ડ હિટ ન થાય તેનો કોઇ કાયમી ઉપાય મળતો નથી. એરપોર્ટ ઓથોરિટી નવા સાધનો લાવવાની વાત કરે છે. મ્યુનિસપિલ કોર્પોરેશન આસપાસના વિસ્તારની ગંદકી હટાવવાની ક્વાયત કરે છે અને વન મંત્રાલય પક્ષીઓના માળા ઝાડ પરથી ઉતારી દેવાની હિમાયત કરે છે. બર્ડ હિટની ઘટનાઓને રોકવા માટે વધુ સ્ટાફ મૂકવામાં આવે છે. જ્યારે અલગ-અલગ પ્રકારની ગન અને સાઉન્ડનો ઉપયોગ કરીને પક્ષીઓ ઉડાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં 40 હજાર 209 એરક્રાફ્ટનો ધસારો જોવા મળ્યો છે. જેથી અનુમાન લગાવી શકાય કે આ રનવે પર જો હવે બર્ડ હિટ થાય તો કેટલી મોટી દુર્ઘટના ઘટી શકે છે. અમદાવાદના એરપોર્ટને દેશનું 7મા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદના એરપોર્ટ પર ચોમાસા દરમિયાન સતત બર્ડ હિટની ઘટનાઓ બનતી હોય છે. બર્ડહિટની ઘટનાઓ ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સતત પગલા લેવામાં આવે છે.. એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના ન બને તે માટે લગભગ સાડા ત્રણ કિલોમીટર લાંબા રનવેની બંને બાજુએ લીલું ઘાસ કાપવામાં આવ્યું છે. તેની સાથે જ રનવે પર 15 જેટલા કર્મચારીઓ મુકવામાં આવ્યા છે જેઓ ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ પહેલા ફટાકડા ફોડી પક્ષીઓને ભગાડવાની કામગીરી કરે છે. એ જ રીતે એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારોના લોકો જ્યાં ત્યાં કચરો ન નાખે તે માટે તેમને કચરો એકત્ર કરવા ડસ્ટબીન પણ આપવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code