1. Home
  2. ગુજરાતી
  3. ક્રિકેટના નિયમમાં ફેરફાર, ખેલાડીઓ બોલ ઉપર લાળનો ઉપયોગ નહીં કરી શકે
ક્રિકેટના નિયમમાં ફેરફાર, ખેલાડીઓ બોલ ઉપર લાળનો ઉપયોગ નહીં કરી શકે

ક્રિકેટના નિયમમાં ફેરફાર, ખેલાડીઓ બોલ ઉપર લાળનો ઉપયોગ નહીં કરી શકે

0
Social Share

નવી દિલ્હીઃ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોમાં સુધારાની જાહેરાત કરી છે, પરંતુ તે આ વર્ષે 1 ઓક્ટોબર પછી લાગુ કરવામાં આવશે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના નિયમો બદલાશે. MCCએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલા તેને માત્ર કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવતું હતું, પરંતુ હવે MCC તેને કાયદો બનાવી રહ્યું છે. બોલને ચમકાવવા માટે ખેલાડીઓ પરસેવાનો ઉપયોગ કરતા હતા અને તે પણ તેટલો જ અસરકારક હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર નવો કાયદો બોલ પર લાળ લગાવવાની મંજૂરી આપશે નહીં, કારણ કે ખેલાડીઓ તેમની લાળને બોલ પર લગાવવા માટે સુગર પ્રોડ્કટનો ઉપયોગ કરે છે. આ કિસ્સામાં, બોલ પર લાળના ઉપયોગને જો બોલની સ્થિતિ બદલવાની અન્ય કોઈ અયોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે ગણવામાં આવશે.

MCCના નવા નિયમો અનુસાર, કોઈપણ ખેલાડીના આઉટ થયા પછી, મેદાન પરના નવા ખેલાડી જ સ્ટ્રાઈક લેશે,  ભલે ખેલાડીઓએ છેલ્લી વિકેટ પહેલા સ્ટ્રાઈક બદલી હોય. અત્યાર સુધી, જો શોટ રમનાર ખેલાડી કેચ આઉટ થતા પહેલા બોલિંગ એન્ડ સુધી પહોંચી જાય, તો નવો બેટ્સમેન નોન-સ્ટ્રાઈકર એન્ડ પર જ રહેતો હતો હવે ક્રિકેટર આઉટ થવાના કિસ્સામાં, ફક્ત નવો ખેલાડી જ સ્ટ્રાઈક લેશે.

એમસીસીના સૂચન પર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) દ્વારા હન્ડ્રેડ લીગમાં પણ પ્રથમ વખત તેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઈસીસીએ પણ મેન્કેડિંગને લઈને મોટો ફેરફાર કર્યો છે. અગાઉ તેને ક્રિકેટના કાયદા 41 મુજબ રમતની ભાવના વિરુદ્ધ માનવામાં આવતું હતું, પરંતુ હવે તેને કાયદા 38 હેઠળ રાખવામાં આવશે, એટલે કે રન આઉટ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code