1. Home
  2. ગુજરાતી
  3. ચીને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60,000થી વધુ ભારતીયોને વિઝા જારી કર્યા,ચીની દૂતાવાસે આપી જાણકારી  
ચીને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60,000થી વધુ ભારતીયોને વિઝા જારી કર્યા,ચીની દૂતાવાસે આપી જાણકારી  

ચીને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60,000થી વધુ ભારતીયોને વિઝા જારી કર્યા,ચીની દૂતાવાસે આપી જાણકારી  

0
Social Share
  • ચીને 60,000થી વધુ ભારતીયોને વિઝા આપ્યા 
  • ચીની દૂતાવાસે આપી જાણકારી  

દિલ્હી : ચીનની એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનની મુલાકાત લેવા માટે 60,000 થી વધુ ભારતીયોને વિઝા આપ્યા છે. ચીની મિશનના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી

ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ ઝિયાઓજિયાને ટ્વીટ કર્યું, “આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં, ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલે 60,000 થી વધુ ભારતીયોને બિઝનેસ, અભ્યાસ, પર્યટન, કામ અને પરિવારની મુલાકાત વગેરે માટે વિઝા આપ્યા છે. ચીનમાં આપનું સ્વાગત છે.”

કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને ચીને માર્ચ 2020 થી વિઝા આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. માર્ચમાં ચીને વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવાની જાહેરાત કરી હતી.

પ્રવાસન, વ્યવસાયિક અભ્યાસ, કાર્ય અને કુટુંબ પુનઃ એકીકરણ સહિત વિવિધ હેતુઓ માટે ભારતીય નાગરિકોને વિઝા આપવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે માર્ચની શરૂઆતમાં ચીને જાહેરાત કરી હતી કે તે ત્રણ વર્ષમાં પ્રથમ વખત ભારત સહિત વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે. 14 માર્ચે જારી કરાયેલા નોટિફિકેશનમાં ભારતમાં ચીની એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે તે વિવિધ પ્રકારના ચાઈનીઝ વિઝા જારી કરવાનું ફરી શરૂ કરશે.

એક નોટિફિકેશનમાં, ભારતમાં ચીની એમ્બેસીએ કહ્યું કે ચીનના વિઝા જે 28 માર્ચ, 2020 પહેલા જારી કરવામાં આવ્યા હતા અને માન્યતા અવધિની અંદર છે, તેને ફરીથી સક્રિય કરવામાં આવશે.

દિલ્હીમાં ચીની દૂતાવાસે કહ્યું કે ભારતમાં ચીની એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ વિવિધ પ્રકારના ચાઈનીઝ વિઝા આપવાનું ફરી શરૂ કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code