1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ – સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ – સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ – સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા

0
Social Share
  • અનંતનાગમાં સેનાને મળી મોટી સફળતા
  • સેના આતંકીઓ વચ્ચેની અથડામણમાં 2 આતંકી ઢેર

 

શ્રીનગર – જમ્મુ કાશ્મીર દેશનો એક એવો વિસ્તાર ગણાય છે જ્યઆં પાકિસ્તાની આતંકી સંગઠનની સતત જનર રહેતી હોય છે તેઓ અહીંની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે ,પાકિસ્તાની આતંકીો અવાર નવારપ ઘુસણખોરીના પણ પ્રયત્નમાં હોય છે. સેનાના જવાનો સતત આતંકીઓ પર નજર રાખીને તેમના નાપાક ઈરાદાઓ નિષ્ફળ બનાવી રહ્યા છે 

આજરોજ મંગળવારે અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે.જાણકારી પ્રમાણે અનંતનાગ જિલ્લાના પોશ્કરી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

 સર્ચ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, જેની જવાબી કાર્યવાહી કરી સેનાએ એન્કાઉન્ટર શરૂ થયું. જેમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે.

ઠાર કરાયેલા આતંકવાદીઓની ઓળખ દાનિશ ભટ ઉર્ફે કોકબ દુરી અને બશારત નબી તરીકે થઈ છે. બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એચએમ સાથે સંકળાયેલા હોવાની માહીતી મળી છે.ઉલ્લેખનીય છે કે વિતેલા દિવનસને સોમવારે આતંકવાદીઓએ અનંતનાગના ઈમામસાહેબ વિસ્તારમાં એસઓજી કેમ્પ પર હુમલો કર્યો હતો. મોડી રાત્રે આતંકીઓએ એસઓજી કેમ્પને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. જવાનોની જવાબી કાર્યવાહી બાદ આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને સ્થળ પરથી ભાગી ગયા હતા. ઘટના બાદ તરત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code