અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચિંતન શિબીરમાં ભાગ લેવા માટે દ્વારકા આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી દ્વારકા પહોંચીને દ્વારકાધિશ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. દ્વારકાધીશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા ભગવાન દ્વારકાધીશની ધજા માથે ચડાવી રાહુલ ગાંધીએ પ્રવેશ કર્યો હતો. ભગવાન દ્વારકાધિશની ધજાની પૂજા વિધિ પાદુકા પૂજન કર્યા બાદ રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કરી શીશ ઝુકાવ્યુ હતું. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ચાલી રહેલી ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા માટે રવાના થયા હતા.
દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. ત્રણ દિવસની આ ચિંતન શિબિરના બીજા દિવસે રાહુલ ગાંધી હાજરી આપવા દ્વારકા પહોંચ્યા હતા. ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા તેમણે દ્વારકાધિશના દર્શન કર્યા હતા અને શિશ ઝુકાવીને આશિર્વાદ માગ્યા હતા. ચિંતન શિબિરમાં ચાર કલાક રહીને કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓને માર્ગ દર્શન આપ્યુ હતું.
દિલ્હીથી જામનગર આવી પહોંચેલા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ધારાસભ્ય અને શહેર પ્રમુખ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પહોચ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દ્વારકાધિશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા ભગવાન દ્વારકાધિશની ધજા માથે ચડાવી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશની ધજાની પૂજા વિધિ પાદુકા પૂજન કર્યા બાદ દ્વારકાધિશના દર્શન કરી શીશ ઝુકાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બીજા દિવસમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા પહોંચ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકા પહોંચ્યા ત્યારે ભાતીગળ સંસ્કૃતિની રાસ મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધિશને શીશ ઝુકાવી ચિંતન શિબિરમાં હાજરી આપી હતી. અને કોંગ્રેસના ધારાસભ્ય, પ્રદેશ અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ સહિત કોંગ્રેસના નેતાઓને માર્ગદર્શન આપ્યુ હતું.