1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી-એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસમાં વધારો,એમ્સમાં આવી રહ્યા છે દરરોજ 100 થી વધુ કેસ  
દિલ્હી-એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસમાં વધારો,એમ્સમાં આવી રહ્યા છે દરરોજ 100 થી વધુ કેસ  

દિલ્હી-એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસમાં વધારો,એમ્સમાં આવી રહ્યા છે દરરોજ 100 થી વધુ કેસ  

0
Social Share

દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાષ્ટ્રીય રાજધાની અને અન્ય વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદની વચ્ચે દિલ્હી NCRમાં કન્જક્ટિવાઇટીસના ઘણા કેસો નોંધાયા છે. દિલ્હી એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના કેસો વધી રહ્યા છે અને એઈમ્સના આરપી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સાયન્સના વડા ડૉ. જેએસ તિતિયાલના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં દરરોજ 100 કેસ નોંધાઈ રહ્યા છે.

ડો. તિતિયાલે કહ્યું કે અમને દરરોજ કન્જક્ટિવાઇટીસના ઓછામાં ઓછા 100 કેસ મળી રહ્યા છે. સામાન્ય રીતે કન્જક્ટિવાઇટીસના કેસોમાં મોસમી વધારો જોવા મળે છે, જે ફલૂની મોસમ સાથે એકરુપ હોય છે. કન્જક્ટિવાઇટીસના મોટાભાગના કેસો વાયરસના કારણે થાય છે.

ડો. જે.એસ. તિતીયાલે લોકોને પોતાની જાતે દવા શરૂ ન કરવા ચેતવણી આપી હતી. જો તમારી દ્રષ્ટિ ખરાબ થઈ રહી છે, તો તેની તપાસ કરાવો. તેમણે કહ્યું કે જો તમે લાલાશ ઘટાડવા માટે સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરો છો, તો આગળ જતા સમસ્યા છે. રોગ ન ફેલાય તે માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તમારી આંખો પર ચશ્મા, ટુવાલ, રૂમાલ અલગ રાખો, બેડશીટ પણ અલગ રાખો.

સેન્ટર ફોર સાઈટના ઓપ્થેલ્મોલોજિસ્ટ ડૉ. હર્ષ કુમારે જણાવ્યું હતું કે, “દર વર્ષે ચોમાસાની ઋતુમાં કન્જક્ટિવાઇટીસના કેસો નોંધાય છે.” ચોમાસા દરમિયાન આંખો લાલ થઈ જાય છે, ખંજવાળ આવે છે, લાલાશ થાય છે, પાણી આવે છે અને ક્યારેક સ્રાવ થાય છે. દિલ્હીની ખાનગી આંખની હોસ્પિટલમાં દિલ્હી એનસીઆરમાં કન્જક્ટિવાઇટીસના 1032 અને સમગ્ર ભારતમાં 1521 કેસ નોંધાયા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code