1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળામાં દહીંનું સેવન કરવાથી પાચન શક્તિ બને છે મજબૂત અને ગરમીમાં થાય છે રાહત
ઉનાળામાં દહીંનું સેવન કરવાથી પાચન શક્તિ બને છે મજબૂત અને ગરમીમાં થાય છે રાહત

ઉનાળામાં દહીંનું સેવન કરવાથી પાચન શક્તિ બને છે મજબૂત અને ગરમીમાં થાય છે રાહત

0
Social Share
  • ગરમીમાં દહીંનું સેવન ફાયદા કારક
  • દહીંથી પ્રાચન શક્તિ મજબૂત બને છે

દહીં – આપણે જાણીએ છીએ કે દહીંને માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી પ્રાચીન કાળથી ગણવામાં આવે છે, એમાં પણ જો ભરઉનાળે દહીંનુ સેવન કરવામાં આવે તો લૂ લાગતી નથી, તો તેની સાથે જ દિવસ દરમિયાન લાગેલી ગરમીમાં શરીરની અંદર રાહત થાય છે, આ સાથે જ ઉનાળાની ગરમીમાં ભોજનમાંથી રુચી ઓછી થાય છે ત્યારે એક બાઉલ દહીંને ભોજનમાં સામેલ કરી લેવું જોઈએ, ઉલ્લેખનીય છે કે,દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ સમાયેલું હોય છે. આ સાથે જ રોજ એક વાટકી દહીં ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ગરમીથી રાહત આપે છે.

દહીં ખાવાના ફાયદા

  • એક વાટકી દહીમાં ઘણા પ્રકારના મિનરલ્સ સમાયેલા હોય છે જે શરીર માટે ફાયદા કારક છે
  • .ઉનાળાના સમયે બપોરના ભોજનમાં દહીં ખાવાથી ગરમીમાં રાહત પણ મળે છે
  • દહીં ખાવાથી પેટની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે
  • દરરોજ દહીંનું સેવન કરવાથી શરીરમાં પ્રોબાયોટીકની માત્રામા્ં વધારો પણ થાય છે. જે આંતરડાને સુરક્ષિત રાખવામાં મદદરુપ થાય છે
  • દહીંના સેવનથી ગરમીમાં થતી બીમારી , ઝાડા આ પેટનો દૂખાવો વગેરેમાં રાહત થાય છે
  • વેઈટ લોસ કરવા ઈચ્છતા હોવ  તો દહીં ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. દહીં માં કેલ્શિયમ ની વધારે માત્રા હોય છે. જો દહીં નિયમથી ખાવામાં આવે તો વજન પણ કંટ્રોલમાં રહે છે.
  • દહીં ખાવાથી ઇમ્યુનીટી સિસ્ટમ બરાબર રહે છે. દહીંમાં હાજ઼ર રહેલા બેકટેરિયા બીમારીથી લડવા માટે મદદ કરે છે.
  • મોં વારંવાર આવતું હોય અથવા તો માં માં છાલા પડતા હોય તે લોકો માટે દહીંનું સેવન ઉત્તમ ગણાય છે, જેનાથી મોઢામાં ઠંડક મળે છે અને મોની ગરમી  સોસી લે છે
  • આ સાથે જ ભર ઉનાળે બપોરના તાપમાં દહીંમાં ખાંડ અથવા તો સાકર નાખીને ખાવાથી પેટમાં ઠંડક પ્રાત્પ થાય છે.

સાહિન-

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code