1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં રાગીનું સેવન કરવાથી શરીર રહે છે તંદુરસ્ત – રાગીને ‘નાગલી’ તરીકે પણ ઓળખાય છે, જાણો તેમાં રહેલા અનેક ગુણો
શિયાળામાં રાગીનું સેવન કરવાથી શરીર રહે છે તંદુરસ્ત –  રાગીને ‘નાગલી’ તરીકે પણ ઓળખાય છે, જાણો તેમાં રહેલા અનેક ગુણો

શિયાળામાં રાગીનું સેવન કરવાથી શરીર રહે છે તંદુરસ્ત – રાગીને ‘નાગલી’ તરીકે પણ ઓળખાય છે, જાણો તેમાં રહેલા અનેક ગુણો

0
Social Share
  • નાગલી ખાવાથી થાય છે અનેક ફાયદા
  • દક્ષિણ ગુજરાતના ડાંગના લોકોનો ખાસ ખોરાક એટલે નાગલી
  • નાગલીના રોટલા અને પાપડ વખાણાય છે

શિયાળામાં ખવાતી અવનવી વસ્તુઓના નામ તમે સાંભળ્યા જ હશે, પરંતુ કદાચ આ નાગલી નામ પ્રથમ વખત સાંભળ્યું હશે, જો નથી સાંભળ્યું તો ચાલો જાણીએ આ નાગલી એટલે શું છે,,,,નાગલી એક ધાન છે, જેનો દેખાવ આબેહુબ બાજરી જેવો જ છે, તેનો રંગ લાલા અથવા મરુન જેવો હોય છે.

દક્ષિણ ગુજરાતમાં નાગલીનું પ્રમાણ વધુ હોય

ખાસ કરીને નાગલી દક્ષિણ ગુજરાતના ડાંગ જેવા પહાડી પ્રદેશમાં મળી આવે છે, અહીના લોકો રોજિંદા જીવનના ખોરાકમાં તેને ઉપયોગમાં લે છે,નાગલી અનાજનો પ્રકાર છે, તેના રોટલા, પાપડ, શીરો,રાબ ખાસ કરીને બનાવાય છે, તેનો રોટલા ખાવથી શરીરમાં સ્ફૂર્તિથી આવે છે આ સાથે જ શરીર ઉપર ચરબીનું નામોનિશાન  રહેતું નથી.

ડાંગ જીલ્લાના મજબુત લોકોની સ્ફૂર્તિ અને તંદુરસ્તીનો રાઝ આ નાગલીમાં સંતાયેલો છે.તેમનો ખોરાક ખાસ નાગલીના રોટલા છે,બાજરી અને જુવારના રોટલાની જેમ જ બનાવવામાં આવે છે, કલર ખાલી અલગ હો. છે,સ્વાદ પણ મોટે ભાગે મળતો આવે છે.

નાગલીમાંથી અનેક વિટામીન્સ, પ્રોટિન આ પ્રમાણે મળી રહે છે

100 ગ્રામ નાગલીમાંથી  કેલ્શિયમ- 344 ગ્રામ, કેલેરી- 328 ગ્રામ,  પ્રોટીન- 7.3 ગ્રામ,  આયર્ન- 3.9 ગ્રામ,  ફેટ- 1.3 ગ્રામ, કાર્બોદિત પદાર્થ- 72 ગ્રામ, ખનિજ દ્રવ્યો- 2.7 ગ્રામ, રેસા- 3.6 ગ્રામ, રીબોફલેવીન- 0.19 મિલીગ્રામ.

નાગલી ખાવાથી થતા ફાયદાઓ

  • નાગલીમાં કેલ્શિયમ, લોહતત્ત્વ, પ્રોટીન, રેસા તથા અન્ય ક્ષારોનું પ્રમાણ હોય છે જે શરીર માટે ખુબ જ જરુરી છે
  •   રોજિંદા આહારમાં ઉપયોગ કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વો મળે છે
  • નાગલીમાં  ચરબીનું પ્રમાણ નહિવત હોય છે તથા મોટેભાગે અસેચ્યુરેટેડ ચરબી હોય છે જે પચવામાં હલકું છે
  • નાગલી ગ્લુટીન ધરાવતું નથી. જેથી જે લોકો ગ્લુટીન સેન્સિટિવ એટલે કે ગ્લુટીન પચાવી શકતા ન હોય, તેમના માટે નાગલી આશીર્વાદરૃપ છે
  • નાગલીમાં ટ્રીપ્ચોફેન નામનું એમિનોએસિડ હોય છે.
  •  નાગલીમાં રહેલા રેસાને કારણે ભૂખ લાગતી નથી. જેને કારણે ખોરાક ઓછો ખવાય છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code