1. Home
  2. ગુજરાતી
  3. કોરોના મહામારીઃ ધો-12 વિજ્ઞાનપ્રવાહની પ્રેક્ટિકલની પરીક્ષા રખાઈ મોકુફ

કોરોના મહામારીઃ ધો-12 વિજ્ઞાનપ્રવાહની પ્રેક્ટિકલની પરીક્ષા રખાઈ મોકુફ

0
Social Share
  • આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરાશે
  • કુલ 189 પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા મોકુફ
  • આજથી શરૂ થવાની હતી પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની અસર સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડતી હોવાનું લાગી રહ્યું છે. કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગ દ્વારા દો-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાને મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. તા. 10મી એપ્રિલ બાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જો કે, ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું હતું. અમદાવાદ સહિત આઠ શહેરોમાં શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. તા. 10મી એપ્રિલ સુધી આઠેય શહેરમાં શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું છે. દરમિયાન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાના કેસ વધતા શિક્ષણ બોર્ડ દ્વારા આ મોટો નિર્ણય લેવાયો છે. કુલ 189 પરીક્ષા કેન્દ્ર ઉપરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે. આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા શરૂ થવાની હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code