1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,805 નવા કેસ, 22 લોકોના  મોત
કોરોનાના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,805 નવા કેસ, 22 લોકોના  મોત

કોરોનાના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,805 નવા કેસ, 22 લોકોના  મોત

0
Social Share
  • 24 કલાકમાં નોંધાયા 3 હજાર 805 કેસ
  • 24 કલક દરમિયાન  22 લોકોના  મોત

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં વધતા કેસોએ દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યા વધારી છે, દૈનિક કેસોની સંખ્યા હવે 3 હજારને પાર પહોચી છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન  24 કલાકમાં ભારતમાં 3 હજાર 805 નવા કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 22 લોકોના મોત થયા પણ છે.

જો કોરોનામાંથી સાજા થનારા લોકોની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનામાંથી 3 હજાર 168 સાજા થયા છે.3,168 લોકો કોરોનાથી સાજા થયા બાદ રિકવરીનો આંકડો 4 કરોડ 25 લાખ 54 હજાર 416 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,87,544 ટેસ્ટ કરવામાં આવ્યા છે..રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 190.00 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા એટલે કે 6 મેના રિપોર્ટમાં 3,545 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 27 દર્દીઓના મોત પણ થયા છે.જો દેશમાં હાલ સક્રિય કેસોની વાત કરીએ તો તે 20 હજારને પાર જોવા મળે છે.,હવે એક્ટિવ કેસ 20 હજાર 303 થઈ ગયા છે. સક્રિય કેસ કુલ ચેપના 0.05 ટકા જોવા મળી રહ્છેયા . 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code