1. Home
  2. ગુજરાતી
  3. અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલો વીજ વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરાશે: સૌરભ પટેલ
અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલો વીજ વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરાશે: સૌરભ પટેલ

અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલો વીજ વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરાશે: સૌરભ પટેલ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમા તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલ વીજ વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તાઉ-તે વાવાઝોડાના કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેને રાજય સરકાર ખાનગી કંપનીઓના સહયોગથી ઝડપથી પૂર્વવત કરાશે. તેમ ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને સૌરાષ્ટ્રના ઉનાને વીજ પુરવઠો 66 કે.વી. દીવ સબસ્ટેશન અને 66 કે.વી. ઉના સબસ્ટેશન મારફત મળે છે. આ બંને સબસ્ટેશનને 220 કે.વી. ધોકડવા સબસ્ટેશનથી બે 66 કે.વી. લાઇનો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. 220 કે.વી. ધોકડવા સબસ્ટેશનને બે અલગ અલગ લાઇનોમાંથી પાવર સપ્લાય મળે છે. 220 કે.વી. સાવરકુંડલા – ધોકડવા લાઇન અને 220 કે.વી. ટીંબડી – ધોકડવા લાઇન. તાઉ-તે વાવાઝોડું ત્રાટકવાને પરિણામે ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી 66 કે.વી. લાઇનો તથા ધોકડવાને વીજ પુરવઠો પૂરો પાડતી બંને 220 કે.વી. લાઇનોમાં ખૂબ નુકસાન થયું છે. આ બંને લાઇનોના કુલ ૨૩ ટાવરો જમીનદોસ્ત થયા છે. આ 220 કે.વી. લાઇનોનું પુનઃ સ્થાપન ઘણો લાંબો સમય માંગી લેતી પ્રક્રિયા છે.

કેન્દ્ર સરકારની મદદથી અને પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયાના સહયોગથી ‘ઇમરજન્સી રીસ્ટોરેશન સિસ્ટમ’ તથા પ્રણાલીગત પદ્ધતિથી યુદ્ધના ધોરણે આ લાઇનોને ખૂબ જ ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાવર ગ્રીડનાં 156 વીજ કર્મચારીઓ દ્વારા સ્થળ પર પહોંચી જઇને કામગીરી શરૂ કરવામાં આવી છે. અન્ય 100 વીજ કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા માલદા કલકત્તાથી વિમાન માર્ગે સ્થળ પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉર્જોમંત્રીએ આભાર વ્યકત કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code