1. Home
  2. ગુજરાતી
  3. ટાઇપ 2 ડાયાબિટીસ માટે રીંગણનું સેવન રામબાણ,જાણો તેમાં છુપાયેલા પોષક તત્વો 
ટાઇપ 2 ડાયાબિટીસ માટે રીંગણનું સેવન રામબાણ,જાણો તેમાં છુપાયેલા પોષક તત્વો 

ટાઇપ 2 ડાયાબિટીસ માટે રીંગણનું સેવન રામબાણ,જાણો તેમાં છુપાયેલા પોષક તત્વો 

0
Social Share
  •  રીંગણનું કરો સેવન
  • ટાઇપ 2 ડાયાબિટીસ માટે રામબાણ
  • તેમાં છુપાયેલા છે અનેક પોષક તત્વો

આજકાલ લોકોમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ વધી રહી છે. દરેક ઉંમરના લોકો આ સમસ્યાથી પીડાતા જોવા મળે છે. છેલ્લા એક દાયકામાં ડાયાબિટીસ અથવા ડાયાબિટીસનું જોખમ ખૂબ જ ઝડપથી વધતું જોવા મળ્યું છે. ડાયાબિટીસના મુખ્ય ચાર પ્રકાર છે, ટાઇપ-1, ટાઇપ-2, સગર્ભાવસ્થા ડાયાબિટીસ અને પ્રિ-ડાયાબિટીસ, જેમાં ટાઇપ-2 સૌથી ખતરનાક પ્રકાર માનવામાં આવે છે.

ઉચ્ચ ફાઈબરવાળા ખોરાક આ દર્દીઓ માટે ફાયદાકારક છે. હકીકતમાં, તેઓ લોહીમાં ખાંડને તોડવાની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે.આવા દર્દીઓ માટે રીંગણ ખૂબ જ ફાયદાકારક છે.આવી સ્થિતિમાં, રીંગણ એ એક શાકભાજી છે જે ભારતમાં દરેક જગ્યાએ અલગ-અલગ કદમાં જોવા મળે છે. રીંગણને એક અલગ શાકભાજી તરીકે પણ ખાવામાં આવે છે. સામાન્ય રીતે લોકો રીંગણનું સ્ટફિંગ, ચિપ્સ વગેરેનું સેવન કરે છે. તેનો ઉપયોગ સાંભરમાં પણ થાય છે.

ડાયાબિટીસના લક્ષણો

વારંવાર તરસ અને વારંવાર પેશાબ. આને પોલ્યુરીયા કહેવામાં આવે છે,વજનમાં અચાનક ઘટાડો, તેમજ ઝડપથી થાક અનુભવવો. સ્ત્રીઓમાં, તેના લક્ષણો બીજી રીતે દેખાય છે, જેમ કે વારંવાર યોનિમાર્ગમાં ચેપ લાગવો અને ભૂખમાં વધારો.

રીંગણમાં હાજર પોષક તત્વો 

ડાયાબિટીસના દર્દી માટે રીંગણ ખૂબ જ ઉપયોગી છે. તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.રીંગણ એક ગૈર-સ્ટાર્ચ વાળું શાક છે. આ જ કારણ છે કે,તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

હ્રદયરોગનું જોખમ પણ ઘટે છે

ડાયાબિટીસમાં રીંગણનું સેવન કરવાથી તમારા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સની મદદથી શરીર ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનને ટાળે છે. આ કારણથી હ્રદયરોગનું જોખમ પણ ઘટી જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code