1. Home
  2. ગુજરાતી
  3. ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ

ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ

0
Social Share

અમદાવાદઃ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન કુવાડવા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. તેમજ મંજૂરી વિના જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણકારી મળતા સાંસદ પૂનમ માડમે તાત્કાલિક કલેટર સાથે બેઠક યોજી હતી.

ખેડૂતોનો દાવો હતો કે, જમીન સંપાદનની મંજૂરી લેતી વખતે ખેડૂતોને નિયત વળતર ચૂકવવાનું નક્કી કરાયું હતું. પરંતુ કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના બળજબરી તેમની જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે. ખેડૂતોનો આક્ષેપ કર્યો હતો કે, તેમની મંજૂરી વિના જમીન સંપાદન કરવું ગેરકાયદે છે. ખેડૂતોએ આ કામ તાત્કાલીક રોકવા માટે રજૂઆત કરી છે. બીજીતરફ અધિકારીઓ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવાનો દાવો કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code