1. Home
  2. ગુજરાતી
  3. ઓમિક્રોનને લઈને આજથી વિદેશી યાત્રીઓ માટે એરપોર્ટ પર નવા નિયમો લાગૂ – જાણો શું બદલાયા નિયમ
ઓમિક્રોનને લઈને આજથી વિદેશી યાત્રીઓ માટે એરપોર્ટ પર નવા નિયમો લાગૂ – જાણો શું બદલાયા નિયમ

ઓમિક્રોનને લઈને આજથી વિદેશી યાત્રીઓ માટે એરપોર્ટ પર નવા નિયમો લાગૂ – જાણો શું બદલાયા નિયમ

0
Social Share
  • આજથી એરપોર્ટ પર વિદેશી યાત્રીઓ માટે નવા નિયમ લાગૂ
  • કલાકો સુધી જોવી પડશે રાહ

 

દિલ્હીઃ- દેશભરમાં એમિક્રોનને લઈને સતર્કતા વધારવામાં આવી છે ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ જેમાં ખાસ કરીને  ઓમિક્રોન વાયરસ ધરાવતા દેશોમાંથી આવતા લોકો માટે કડક નિયમો આજથી એટલે કે 1લી ડિસેમ્બરથી અમલી બન્યા છે

જો કે એક વાતની રાહત છે કે  ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી, જો કે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જોખમી દેશોમાંથી મુસાફરોના આગમનના પ્રથમ દિવસે RT-PCR પરીક્ષણની ખાતરી કરવા અને આઠમા દિવસે ફરીથી પરીક્ષણ કરવા જણાવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે રાજ્યોને વિવિધ એરપોર્ટ, બંદરો અને જમીની સરહદોથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર બેદરકારી ન રાખવા અને કડક દેખરેખ રાખવાની સલાહ આપી હતી.

નવા નિયમો હેઠળ, જોખમવાળા દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR પરીક્ષણ ફરજિયાત છે અને પરીક્ષણ પરિણામો આવ્યા પછી જ તેમને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે. ઉ

આ સાથે જ અન્ય દેશોની ફ્લાઇટ્સ દ્વારા આવતા મુસાફરોમાંથી પાંચ ટકા કોવિડ -19 માટે સ્ક્રીનીંગ કરવામાં આવશે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સલાહ આપી છે કે જોખમ ધરાવતા દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ RT-PCR પરીક્ષણના પરિણામો ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર રાહ જોવા માટે તૈયાર રહેવું જોઈએ

રિપોર્ટ ન આવે ત્યા સુધી અન્ય સ્થળો માટે પૂર્વ-સંપર્ક ફ્લાઇટ્સ બુક ન કરવી જોઈએ. આ ઉપરાંત, મંત્રાલયે રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે સંબંધિત ઈન્સાકોગ લેબમાં તમામ પુષ્ટિ થયેલ નમૂનાઓ તાત્કાલિક મોકલવા જણાવ્યું છે.

આ સાથે જ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ ભરવાનું રહેશે. ડીજીસીએએ કહ્યું કે જો યાત્રીઓ ટેસ્ટ દરમિયાન પોઝિટિવ મળી આવે તો તેમણે રાજ્ય સરકાર દ્વારા ચિહ્નિત કરાયેલ અલગ આવાસ કેન્દ્રોમાં જવા માટે તૈયાર રહેવું જોઈએ.

નવી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, ઉડ્ડયન નિયમનકાર DGCA એ એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરોને પગલાંના અમલીકરણની ખાતરી કરવા જણાવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ 29 નવેમ્બરના રોજ એક પરિપત્રમાં જણાવ્યું છે કે, “દરેક એરપોર્ટ પર જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો માટે એક અલગ જગ્યા નિર્ધારિત કરવામાં આવી શકે છે, જ્યાં તેઓ RT-PCR પરીક્ષણ પરિણામોની રાહ જોઈ શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code