1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક લાખથી વધુ ટેક્સના બાકીદારોને આખરી નોટિસ અપાશે
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક લાખથી વધુ ટેક્સના  બાકીદારોને  આખરી નોટિસ અપાશે

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક લાખથી વધુ ટેક્સના બાકીદારોને આખરી નોટિસ અપાશે

0
Social Share

ગાંધીનગરઃ શહેરની વસતીમાં વધારો થતાં નવા હાઈરાઈઝ બિલ્ડિંગો બની રહ્યા છે. તેમજ આજુબાજુના વિસ્તારોને પણ શહેરી વિસ્તારમાં મર્જ કરવામાં આવ્યા છે. શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મ્યુનિ,કોર્પોરેશન દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સાથે જ મ્યુનિ,કોર્પોરેશનની આવક વધારવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોના વર્ષોથી ટેક્સ બાકી છે. આગાઉ નોટિસ આપ્યા છતાંયે ટેક્સ ભરવામાં આવ્યો નથી. શહેરમાં 2500થી વધુ પ્રોપર્ટી ધારકો એવા છે. કે, તેમનો એક લાખથી વધુ ટેક્સ બાકી છે. આવા બાકીદારોને આખરી નોટિસ ફકટારવામાં આવશે. અને નિયત મર્યાદામાં ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાનો જીએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની બાકી વસૂલાત માટે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. મોટા બાકીદારોની યાદી તૈયાર કરીને નોટીસ ફટકારવામાં આવશે. તે પછી સીલીંગની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. હાલ એક  લાખથી વધુ રકમનો મિલકતવેરો બાકી હોય તેવા 2500 મિલકતધારકોની યાદી તૈયાર કરીને તેમને નોટીસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને અત્યારસુધીમાં 80 કરોડના મિલકતવેરાના માંગણાની સામે 58 કરોડની વસૂલાત થઇ છે. ગત વર્ષે વર્ષ દરમિયાન કુલ 52 કરોડ રૂપિયાની વસૂલાત થઇ હતી. ગત વર્ષ કરતા અત્યારસુધીમાં વસૂલાત ઉંચી છે પરંતુ 100 ટકાના લક્ષ્યાંક સાથે વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. કુલ 1.78 લાખ મિલકતધારકો પૈકી અત્યારસુધીમાં 1.05 લાખ મિલકતધારકોએ વેરો ભરપાઇ કરી દીધો છે. નિયમ મુજબ 6 મહિના બાદ બાકીદારોને નોટીસ આપવાની હોય છે પરંતુ નવરાત્રી અને દિવાળીના તહેવારોને કારણે નોટીસની પ્રક્રિયા હાથ ધરી ન હતી. હવે નોટીસની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના તમામ ઝોન વાઇઝ વિવિધ કેટેગરીના બાકીદારોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે એક લાખથી વધુ રકમ બાકી હોય તેવા 2500 જેટલા બાકીદારોની યાદી તૈયાર કરાઇ છે. બીજા તબક્કે 50 હજારથી 1 લાખ સુધીની રકમ બાકી હોય તેવા બાકીદારોને નોટિસ અપાશે. 15-15 દિવસના અંતરે બે વખત નોટીસ ફટકારાશે તે પછી પણ જો મિલકતવેરો ભરપાઇ કરવામાં નહીં આવે તો સીલીંગની કાર્યવાહી કરવામાં આવશે. મિલકત વેરાની વસૂલાત નબળી પડી હોવાથી હાલ ઉચ્ચકક્ષાએથી ડે ટુ ડે મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. નોટીસ બાદ પણ સતત ફોલોઅપ લઇને જૂના બાકીદારો પાસેથી મહત્તમ વસૂલાત થાય તેવા પ્રયાસો કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code