1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીર સોમનાથ: પ્રાચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થયું
ગીર સોમનાથ: પ્રાચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થયું

ગીર સોમનાથ: પ્રાચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થયું

0
Social Share
  • ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ
  • પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર
  • માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ

ગીર સોમનાથ:રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.ક્યાંક જોરદાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.વરસાદના પગલે ગીર સોમનાથમાં નદી-નાળાઓ છલકાઇ ગયા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.તો જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.પૂરને કારણે પ્રાચી તીર્થમાં આવેલું માધવરાય ભગવાનનું મંદિર ફરી એકવખત જળમગ્ન થયુ છે.સંપૂર્ણ મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.જળમગ્ન બનેલા માધવરાય ભગવાનના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

નોંધનીય છે કે,હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ ગુજરાતમાં અનેક વિસ્તારને તરબોળ કરી રહ્યો છે.રાજ્યના છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે.હવાનું હળવુ દબાણ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code