1. Home
  2. ગુજરાતી
  3. અમરનાથ યાત્રા પર જનારાઓ માટે સારા સમાચાર,હવે મળશે આ સુવિધા
અમરનાથ યાત્રા પર જનારાઓ માટે સારા સમાચાર,હવે મળશે આ સુવિધા

અમરનાથ યાત્રા પર જનારાઓ માટે સારા સમાચાર,હવે મળશે આ સુવિધા

0
Social Share
  • અમરનાથ યાત્રા પર જનારાઓ માટે ખુશખબરી
  • બાબા અમરનાથ યાત્રા 30 જૂનથી થઇ રહી છે શરૂ
  • તમામ તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ
  • Jio કંપની Wi-Fi સુવિધા આપવા માટે થઇ સંમત

ચંડીગઢ:બાબા અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે.અમરનાથ યાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની અંતિમ તારીખ 15 જૂન સુધી રાખવામાં આવી છે.તે જ સમયે, Jio કંપની દરેક ભંડારામાં Wi-Fi સુવિધા આપવા માટે સંમત થઈ છે.

અમરનાથ યાત્રા ભંડારા ઓર્ગેનાઈઝેશન સાયબોના પ્રમુખ રાજન કપૂરે સારા સમાચાર આપતા કહ્યું કે,તમામ ભંડારા ઓપરેટરોને જાણ કરવામાં આવે છે કે,તાજેતરમાં જ અમરનાથ યાત્રા ભંડારા ઓર્ગેનાઈઝેશન સાયબો વતી Jio કંપની દરેક ભંડારામાં વાઈ-ફાઈ સુવિધા શરૂ કરવા માટે પત્ર લખ્યો હતો,જેના કારણે જિયો કંપની અમરનાથ યાત્રા ભંડારાની માંગણીને સ્વીકારીને નેશનલ હાઈવે પર બાલતાલ રોડથી ગુફા સુધી, પહેલગાંવ રોડથી ગુફા સુધી અને નેશનલ હાઈવે પરના તમામ ભંડારાઓમાં વાઈ-ફાઈ સુવિધા આપવા સંમત થઈ છે.અમરનાથ યાત્રા દરમિયાન ભંડારાના તમામ ઓપરેટરો તેમના ભંડારામાં કંપની દ્વારા નિર્ધારિત દરે Wi-Fi સુવિધા શરૂ કરી શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code