1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તરાયણને લઈ સરકારનું જાહેરનામુઃ સોસાયટી-ફ્લેટના મેદાનમાં રહેવાસીઓ સિવાય કોઇને પ્રવેશ નહીં અપાય
ઉત્તરાયણને લઈ સરકારનું જાહેરનામુઃ સોસાયટી-ફ્લેટના મેદાનમાં રહેવાસીઓ સિવાય કોઇને પ્રવેશ નહીં અપાય

ઉત્તરાયણને લઈ સરકારનું જાહેરનામુઃ સોસાયટી-ફ્લેટના મેદાનમાં રહેવાસીઓ સિવાય કોઇને પ્રવેશ નહીં અપાય

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પતંગ રસિયાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા ઉત્તરાયણને કોરોનું ગ્રહણ લાગવાની શકયતાઓ વ્યક્ત થી રહી છે. દરમિયાન ઉત્તરાયણ પર્વને લઈને કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. ઉત્તરાયણની ઉજવણી માટે ધાબા કે ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ શકશે નહીં. જો સોસાયટીમાં નિયમભંગ થશે તો સેક્રેટરીને જવાબદાર ગણીને કારવાહી કરવામાં આવશે. પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત લાઉડ સ્પિકર અને ડીજે વગાડવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈને સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર, એક સાથે મોટી સંખ્યામાં એકઠા થઇને પતંગ ચગાવી શકાશે નહીં.જો વધુ ભીડ દેખાશે તો પોલીસ કાર્યવાહી કરશે. જાહેર સ્થળો, મેદાનો, રસ્તાઓ પર એકત્ર થઇને પતંગ ચગાવી શકાશે નહીં. ધાબા કે ખુલ્લા મેદાનમાં માસ્ક વગર પતંગ ચગાવી શકાશે નહીં. એટલું જ નહિં સોસાયટી કે ફ્લેટના મેદાનમાં રહેવાસીઓ સિવાય કોઇને પણ પ્રવેશ પણ નહીં અપાય. ધાબા કે ખુલ્લા મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ શકશે નહીં. જો સોસાયટીમાં નિયમભંગ થશે તો સેક્રેટરીને જવાબદાર ગણવામાં આવશે. એટલું જ નહી લાઉડ સ્પિકર, ડી.જે અથવા મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો 65 વર્ષથી વધુની ઉમરના, 10 વર્ષથી નીચેના બાળકો ઘરે રહે તેવી સલાહ આપી છે. સરકારના જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code