1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોલેજિયમમાંથી જસ્ટિસ નિખિલ કારિયલની બદલીથી ગુજરાત હાઈકોર્ટના વકીલોમાં નારાજગી
કોલેજિયમમાંથી જસ્ટિસ નિખિલ કારિયલની બદલીથી ગુજરાત હાઈકોર્ટના વકીલોમાં નારાજગી

કોલેજિયમમાંથી જસ્ટિસ નિખિલ કારિયલની બદલીથી ગુજરાત હાઈકોર્ટના વકીલોમાં નારાજગી

0
Social Share

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નજીકના ભૂતકાળમાં કેટલીક ખાસ બદલીઓ કરી છે. જે અંતર્ગત, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડની આગેવાની હેઠળના કોલેજિયમ દ્વારા ગુજરાતના જસ્ટિસ નિખિલ કારિયલ ઉપરાંત તેલંગાણા હાઈકોર્ટના જજ એ અભિષેક રેડ્ડીની પણ પટનામાં બદલી કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ટી રાજાની પણ રાજસ્થાન હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી હતી.

ગુજરાતના વરિષ્ઠ વકીલો દ્વારા આ બદલીનો વિરોધ કરવામાં આવ્યો  અને આજે આ બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશનના વકીલોએ કોર્ટનું કામકાજ બંધ રાખ્યું હતું. જસ્ટિસ નિખિલની બદલી સંદર્ભે તેઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડને મળ્યું. આજે બપોર બાદ થયેલી આ મુલાકાતમાં કોલેજિયમ મંડળના સભ્યોમાંથી જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ.આર.શાહ પણ હાજર રહ્યા હતા. પ્રતિનિધિમંડળ દ્વારા મુખ્ય ન્યાયાધીશને  આ બદલીનો આદેશ પાછો લઇ લેવાની રજૂઆત કરવામાં આવી. મુલાકાત દરમ્યાન મુખ્ય ન્યાયાધીશે મંડળને આ હડતાલ બંધ કરવા જણાવ્યું હતું અને તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે, તેમની આ માંગણી પર વિચાર કરવામાં આવશે.

(ફોટો: ફાઈલ)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code