1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના મહેસુલ વિભાગના કર્મચારીઓને હવે 10, 20 અને 30 વર્ષે પગાર વધારો મળશે
ગુજરાતના મહેસુલ વિભાગના કર્મચારીઓને હવે 10, 20 અને 30 વર્ષે પગાર વધારો મળશે

ગુજરાતના મહેસુલ વિભાગના કર્મચારીઓને હવે 10, 20 અને 30 વર્ષે પગાર વધારો મળશે

0
Social Share

ગાંધીનગર: ગુજરાતના મહેસૂલ વિભાગના સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.  મહેસુલ વિભાગના કર્મચારીઓને હવે 10, 20 અને 30 વર્ષે પગારમાં વધારો મળશે. સરકાર દ્વારા  પરિપત્ર જાહેર કરાયો છે.. અગાઉ મહેસુલ વિભાગના કર્મચારીઓને 12 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ મળતું હતું. હવે એમાં ફેરફાર કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓને પ્રમોશન અંગેના નિયમોમાં ફેરફાર કરાયો છે. જેથી મહેસુલ વિભાગના કર્મચારીઓમાં આનંદનો માહોલ છવાયો છે. રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગના સરકારી કર્મચારીઓને નોકરીના 10, 20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ  આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.  મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના પ્રમોશનને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ મહેસૂલ વિભાગના કર્મીઓને 10, 20 અને 30 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે કલેકટર કચેરીના મહેકમ અને અન્ય કચેરીઓના ફરજ બજાવતા કર્મચારીઓએ ખાતાના વડાની કચેરીએ ઉચ્ચતર પગાર ધોરણ માટે દરખાસ્ત કરવાની રહેશે. પ્રમોશન માટેના અલગ અલગ આઠ મુદ્દાઓનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મહેસુલ વિભાગના કર્મચારીઓને 12 અને 24 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવતું હતું. હવે એમાં સુધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓની ઘણા વખતથી માગ હતી અને અગાઉ સરકારને અનેકવાર રજુઆતો પણ કરવામાં આવી હતી. સરકારે પરિપત્ર જાહેર કરીને નિયમોમાં સુધારો કરતા હવે મહેસુલ વિભાગના કર્મચારીઓને 10,20 અને 30 વર્ષે પ્રમોશનનો લાભ મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code