1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘરમાં શંખ રાખવાના શુભ ફળ મેળવવા માંગતા હોવ તો, આ નિયમ અવશ્ય જાણી લેજો, સુખ-સમૃદ્ધિનો થશે વાસ
ઘરમાં શંખ રાખવાના શુભ ફળ મેળવવા માંગતા હોવ તો, આ નિયમ અવશ્ય જાણી લેજો, સુખ-સમૃદ્ધિનો થશે વાસ

ઘરમાં શંખ રાખવાના શુભ ફળ મેળવવા માંગતા હોવ તો, આ નિયમ અવશ્ય જાણી લેજો, સુખ-સમૃદ્ધિનો થશે વાસ

0
Social Share

સમુદ્ર મંથનમાંથી 14 રત્નો મળ્યા હતા. આ રત્નોમાં દેવી લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. દેવી લક્ષ્મીની જેમ શંખ પણ સમુદ્રમંથન થી પ્રાપ્ત થયો હતો, તેથી શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે અને જો તમે શંખને ઘરમાં રાખો છો તો તમને ભાગ્યનો સાથ મળે છે અને તેનાથી આર્થિક લાભના દરવાજા પણ ખુલે છે. પૂજાપાઠ અને ધાર્મિક કાર્યો દરમિયાન શંખ ફૂંકવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઇએ તો ઘરમાં શંખ રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે, પરંતુ શંખને ઘરમાં રાખવાનો શુભ પ્રભાવ ત્યારે જ મળશે જ્યારે તમે ઘરમાં શંખ રાખવા સંબંધિત નિયમોનું પાલન કરશો.

હમેંશા ભગવાનની પાસે રાખો

શંખ રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન તમારા ઘરનો પૂજા ખંડ છે કારણ કે પૂજા રૂમ અન્ય સ્થાનો કરતા વધુ સ્વચ્છ હોય છે. પૂજા રૂમમાં પણ તમારે હંમેશા ભગવાન પાસે શંખ રાખવા જોઈએ. શંખને લાલ કે પીળા કપડા પર રાખો. તેને પણ ઢાંકીને રાખો. આના કારણે શંખમાં ધૂળ નહીં જાય અને શંખની પવિત્રતા જળવાઈ રહેશે. જો તમે ઇચ્છો તો જ્યાં તમે પૂજા સામગ્રી રાખો છો ત્યાં શંખ પણ રાખી શકો છો.

ઉપયોગ કર્યા પછી તેને શુદ્ધ કરો

જ્યારે પણ તમે શંખનો ઉપયોગ કરો છો, એટલે કે તેને ફૂંક્યા પછી પૂજા પહેલાં અને પછી તેને શુદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શંખ વગાડ્યા પછી એક વાસણમાં પાણી અને ગંગાજળ બંને મિક્સ કરો. હવે શંખને પાણીમાં બોળીને બહાર કાઢો. આ પછી શંખને સ્વચ્છ કપડાથી સાફ કરો, તેને સૂકવી દો અને તેને મંદિરમાં પરત કરો. આ પ્રવૃત્તિ હંમેશા શંખ ફૂંક્યા પછી કરો. આનાથી શંખ ચોખ્ખા થઈ જાય છે.

તેને જમીન પર એમનેમ ન મુકો, શુદ્ધ કપડુ પાથરીને તેના પર મુકો

શંખને ક્યારેય જમીન પર ન રાખવો જોઈએ. આ શંખનો અનાદર માનવામાં આવે છે. શંખને હંમેશા કપડા પર રાખો. જો તમારે શંખને પાણીથી સાફ કરવો હોય તો પણ તેને પાણીમાંથી બહાર કાઢીને કપડામાં લપેટીને સાફ કરો. તેને ક્યારેય જમીન પર ન રાખવું જોઈએ. તેમજ સાફ કર્યા પછી શંખને કપડાથી બરાબર સુકાવીને જ રાખો. તેના પર પાણીના ટીપા ન હોવા જોઈએ.

બિનજરૂરી રીતે શંખ ન ફૂંકો

ઘણા લોકો શંખ ફૂંકવાની પ્રેક્ટિસ કરે છે પરંતુ એવું કરવું સારું માનવામાં આવતું નથી. કોઈપણ કારણ વગર શંખ ન વગાડવો જોઈએ. તમે પૂજા પહેલા અને પછી શંખ ફૂંકવાની પ્રેક્ટિસ કરી શકો છો, પરંતુ કોઈપણ કારણ વગર શંખ ફૂંકશો નહીં. તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. શંખ ફૂંકવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. શંખનો અવાજ વાતાવરણમાં રહેલા નાના બેક્ટેરિયાને મારી નાખે છે, આ રીતે તમને રોગોથી બચાવે છે.

યોગ્ય દિશામાં રાખવો જરૂરી

શંખને ઘરની પૂર્વ દિશા તરફ રાખવો જોઈએ. કોશિશ કરો કે તમારા ઘરનું મંદિર પણ પૂર્વ તરફ હોવું જોઈએ. જેના કારણે ઘરમાં સકારાત્મકતા રહે છે. પૂર્વ દિશા સિવાય તમે શંખને ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ રાખી શકો છો. આ સાથે પણ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે.

તેમાં પાણી ભરેલું ક્યારેય ન રાખવું

શંખની સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે શંખને યોગ્ય રીતે રાખવો ખૂબ જરૂરી છે. શંખમાં ક્યારેય પાણી ભરેલું ન રાખવું. શંખનું મુખ ઉપરની તરફ રાખવું જોઈએ, તેના કારણે શંખમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાય છે. ભગવાન વિષ્ણુ, લક્ષ્મી અને ભગવાન કૃષ્ણ પાસે હંમેશા શંખ રાખો. તેનાથી શુભ પ્રભાવ વધુ વધે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code