1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં ઈમરાન ખાન એકલા પડ્યાં, PTI નેતા ફવાદ ચૌધરીએ પણ સાથ છોડ્યો

પાકિસ્તાનમાં ઈમરાન ખાન એકલા પડ્યાં, PTI નેતા ફવાદ ચૌધરીએ પણ સાથ છોડ્યો

0
Social Share

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવી હતી. તેમજ આર્મીની મિલકતને નિશાન બનાવીને ભારે નુકશાન કર્યું હતું. પાકિસ્તાન આર્મી અને શરીફ સરકારે ઈમરાન સામે કાનૂની ગાળિયો કસ્યો છે. બીજી તરફ ઈમરાન ખાનના સાથીદારો એક-બાદ એક તેમનો સાથ છોડી રહ્યાં છે. હવે તેમના ખાસ મનાતા ફવાદ ચૌધરીએ પણ ઈમરાન ખાનનો સાથ છોડ્યો છે, તેમજ પીટીઆઈમાંથી રાજીનામું આપ્યું છે.

પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સાથે રાજકિય સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે.  પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એક સમયના ખૂબ નજીકના ગણાતા અને તેમની પાર્ટી તહરીક-એ- ઇન્સાફના દિગગજ નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ફવાદ ચૌધરીએ રાજીનામું ધરી દીધું છે. જેને લઈને ખાન માટે સંકટ સમયે સાથી પણ છૂટ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

પીટીઆઈમાંથી રાજીનામા બાદ ફવાદ ચૌધરીએ ઇમરાન ખાનની ધરપકડ બાદ 9 મેના રોજ ફાટી નીકળેલી હિંસાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. બીજી તરફ ઈમરાન ખાને વીડિયો સંદેશ જાહેર કરી દાવો કરતાં કહ્યું કે, નેતાઓ અને સમર્થકોને પાર્ટી છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાન તહરીકે ઇન્સાફ – PT Iના નેતાઓ શાહ મહંમદ કુરેશી, જમશીદ ચીમા અને તેમના પત્ની મુશરત ચીમાને 15 દિવસ માટે નજર કેદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકાર ઇમરાન ખાનની આગેવાની હેઠળના પક્ષ વિરૂદ્ધ પગલા લઇ રહી છે તે દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે PTI નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. પૂર્વ વિદેશમંત્રી શાહ મહંમદ કુરેશી તથા મુશરત જમશેદ ચીમા જેલમાંથી મુકત થયાની થોડીક મિનીટોમાં જ તેમનીફરીથી ધરપકડ કરાઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code