1. Home
  2. ગુજરાતી
  3. ફરીદાબાદમાં પરિણીતાએ પ્રેમી સાથે મળીને સંપતિ માટે સસરાની હત્યા કરી
ફરીદાબાદમાં પરિણીતાએ પ્રેમી સાથે મળીને સંપતિ માટે સસરાની હત્યા કરી

ફરીદાબાદમાં પરિણીતાએ પ્રેમી સાથે મળીને સંપતિ માટે સસરાની હત્યા કરી

0
Social Share

લખનૌઃ ફરીદાબાદમાં સંપત્તિ પચાવી પાડવા માટે પરિણીતાએ પ્રેમી સાથે મળીને સસરાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપી પુત્રવધૂને ઝડપી લઈને જેલમાં મોકલી દીધી છે. જોકે, તેનો બોયફ્રેન્ડ હજુ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. મૃતક ભરત સિંહ આરોપી મહિલા ગીતાના પતિ વિનોદનો સાવકા પિતા હતો.

મળતી માહિતી મુજબ બલ્લભગઢની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં લગભગ છ દિવસ પહેલા ભરત સિંહ નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ, DLFએ ફરાર પુત્રવધૂની ધરપકડ કરી છે. પોલીસે આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં નીમકા જેલમાં મોકલી આપ્યો છે.

પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલી મહિલા ગીતાએ તેના પ્રેમી સાથે મળીને તેના સસરાની હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણ મિલકતનો વિવાદ હોવાનું સામે આવ્યું છે. મૃતક ભરત સિંહ આરોપી મહિલા ગીતાના પતિ વિનોદનો સાવકા પિતા હતો. ભરત સિંહના પુત્ર સૂરજનું ગયા વર્ષે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ પછી સૂરજની પત્ની તેના પીયર ચાલી ગઈ હતી. આરોપી ગીતા તેના સસરાને સમગ્ર મિલકત તેના નામે ટ્રાન્સફર કરવા દબાણ કરતી હતી. સમગ્ર મિલકત મહિલાના સસરા ભરત સિંહના નામે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code