1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ 12 સાયન્સના અંગ્રેજીના વિષયમાં હવે કાવ્ય આધારિત 12 માર્ક્સના પ્રશ્નો પૂછાશે
ધોરણ 12 સાયન્સના  અંગ્રેજીના વિષયમાં હવે કાવ્ય આધારિત 12 માર્ક્સના પ્રશ્નો પૂછાશે

ધોરણ 12 સાયન્સના અંગ્રેજીના વિષયમાં હવે કાવ્ય આધારિત 12 માર્ક્સના પ્રશ્નો પૂછાશે

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધોરણ 12 સાયન્સના અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર થયેલા પ્રશ્નપત્ર પરિરૂપમાં 20 ગુણના કાવ્યને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જેમાં હવે સુધારો કરીને 20 ગુણની જગ્યાએ કાવ્ય આધારિત 12 માર્કસના પ્રશ્નો પૂછવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા 2023થી શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ બોર્ડની પરીક્ષા માટે પ્રશ્નપત્રનો પરિરૂપ જાહેર કર્યું હતું. ત્યારબાદ ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ફેરફારના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં નવેસરથી પ્રશ્નપત્ર પરિરૂપ અને મૂળભૂત નક્કી કરી સ્કૂલોનો મોકલી આપ્યા હતા. ધોરણ 12 સાયન્સના અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષયના પેપરમાં થોડા સુધારા કરવામાં આવ્યા છે. જેમાં અંગ્રેજી ભાષામાં MCQ આધારિત 20 માર્કસના પ્રશ્નો પૂછવાના હતા, પરંતુ નવો ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં હવે 12 માર્કસના જ પ્રશ્નો MCQ આધારિત કાવ્ય પરથી પૂછવામાં આવશે. આ પરિરૂપના આધારે જ બોર્ડની પરીક્ષામાં લેવામાં આવશે, જેની તમામ સ્કૂલોને જાણ કરી દેવામાં આવી છે. આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને 8 માર્ક્સની તુટ પડશે,  કારણ કે 20 માર્ક્સના કાવ્ય આધારિત MCQ હોવાથી વિદ્યાર્થીઓ સરળતાથી જવાબ લખી શકતા. હવે વિદ્યાર્થીઓ આ માર્ક્સ સરળતાથી મેળવી શકશે નહીં. આગામી માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા આવી રહી છે. તેના 4 મહિના અગાઉ જ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓએ 8 માર્ક્સ માટે તૈયારી કરવી પડશે.

શિક્ષમ બોર્ડના એક અધિકારીના કહેવા મુજબ આ નિણર્ય માત્ર અંગ્રેજી માધ્યમના જ વિદ્યાર્થીઓને લાગુ પડશે. શિક્ષણ વિભાગ વર્ષ 2024થી પાઠ્યક્રમમાં પણ મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવી શિક્ષાનીતિ અનુસાર પાઠ્યાક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. વર્ષ 2024ના શૈક્ષણિક સત્ર માટે પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. નવા પાઠ્યક્રમના ડ્રાફ અંતર્ગત ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. જેમાંથી ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code